SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) સ્વરમણતા-પરરમણતા ૨૬૭ એટલે, ભગવાન મહાવીર પુદ્ગલ શું કરે છે તે જ જુએ. બુદ્ધિ શું કરે છે, મન-ચિત્ત શું કરે છે, એ જ જોતા હતા એક જ પુદ્ગલ, બીજું કંઈ નહીં. બીજા ડખામાં ઊતરતા જ નહોતા. આપણે એ પ્રયત્ન કરીએ, પણ થોડીવાર રહેને પછી પાછું એ ખસી જાય. પ્રશ્નકર્તા ઃ હા, આપણે પ્રયત્ન કરીએ થોડીવાર રહે પણ ખસી જાય. દાદાશ્રી : કારણ કે બહારનો અભ્યાસ વધારેને ! પેલો તો જુદાપણાનો બિલકુલ અભ્યાસ. કોઈ પુદ્ગલની વસ્તુ એવી-તેવી હોય તેની ઉપર એ શું શું કરે છે તે નિરીક્ષણ કરતા હોય, એ બધું ખ્યાલમાં હોયને એવું એ. પ્રશ્નકર્તા: પણ પોતાના એક જ પુદ્ગલનો, બહાર કોઈ ડખલ નહીં. દાદાશ્રી : બીજું શું? એક પુદ્ગલ જોવાય તો બહુ થઈ ગયું. નહીં તો બહાર ડખલ થાય જ, એવું કહેવા માગે છે. એ આપણે કહીએ કે તમે જોવાનો અભ્યાસ કરો, પણ થાય નહીં. થોડીવાર રહે, પાછું ભૂલાઈ જાય. ક્યાંય સુધી બધું બહાર જોતો હોય ! પ્રશ્નકર્તા : એ સ્ટેજ આવવાની તો ખરી જ ને ? દાદાશ્રી : એ પ્રયત્ન એનો એ જ હોય, પણ થાય નહીંને ! રહે નહીં ને જાય ને આવે, જાય ને આવે. એ જાણી રાખવાનું છે, કે એક જ પુગલ જોવાનું છે. જે એક પુદ્ગલનો સ્વભાવ છે એ સર્વ પુદ્ગલનો સ્વભાવ છે. સ્વભાવ એકનો એક જ જાતનો છે. એટલે ભગવાનની રીત મેં તમને આપી છે. તે રીતે ચાલો હવે. ચંદુભાઈના મન-બુદ્ધિ-ચિત્ત શું કરે છે, ચંદુભાઈ શું શું કરી રહ્યા છે, એ બધું નિરંતર ઑક્ઝર્વેશન કરવું જોવાનું) એ કમ્પ્લીટ શુદ્ધાત્મા. પ્રશ્નકર્તા એટલે ધારો કે મેં આ રીતે ઉપયોગ ગોઠવ્યો કે આપણે
SR No.009218
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy