SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) શ્રુતજ્ઞાન ૨૧૫ ભાષા પેલી પારિભાષિક આવે બધી. જેટલું ચડ્યા છે એટલું ચોખ્ખું હોય. પછી એ બીજું પારિભાષિક હોય. લોકો જાણે કે વાંચેલું બોલે છે આ. પ્રશ્નકર્તા ઃ હવે દાદા, તમે પેલું કહો છો ને, કે જોઈને બોલું છું એ કેવું જ્ઞાન ? દાદાશ્રી : આ તો આખું વિજ્ઞાન જ છે, આ કોઈ પુસ્તકમાં છે નહીં. જ્ઞાન પુસ્તકમાં હોય નહીં. જોઈને બોલે એનું નામ જ્ઞાન. જ્ઞાનીકૃપાએ છૂટ્ય શ્રુત-મતિ, તે બન્યા પ્રજ્ઞાધારી જગતનો ઉદય સારો હોય ત્યારે “જ્ઞાની પુરુષ' પ્રગટ થઈ જાય અને એમની ‘દેશના” જ “શ્રુતજ્ઞાન” છે. એમના એક જ વાક્યમાં શાસ્ત્રોના શાસ્ત્રો આખા આવી જાય ! શ્રુતજ્ઞાન તો એટલું બધું લાંબું છે કે આગળ વાંચે ને પાછળ ભૂલતો જાય. એટલે મેં તો તમને બધાં જ શાસ્ત્રો પાંચ જ વાક્યોમાં આપી દીધા છે. અમે તો સીધું જ તમને આત્મજ્ઞાન જ આપી દીધું છે. તમને તો સીધો જ્ઞાનાર્ક જ આપ્યો છે. પ્રશ્નકર્તા : મહાત્માઓને મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન ખરું કે ? દાદાશ્રી : મહાત્માઓને આત્મજ્ઞાન આવી ગયું એટલે આ બધું આવી ગયું. સડસડાટ પછી ચડી ગયા, તમે કેવા ડાહ્યા થઈ ગયા ! એ જ મતિજ્ઞાન ! કોઈને સળી કરે નહીં, દુઃખ દે નહીં, ત્રાસ ના આપે, એ બધું શેના આધારે થયું ? મતિજ્ઞાન. તમને બધાને જ્ઞાન આપીએ એટલે પ્રજ્ઞાધારી કહેવાય. મતિજ્ઞાન ટૉપ ઉપર આવે ત્યારે પ્રજ્ઞાધારી કહેવાય. જે ડિરેક્ટ અમારાથી મળે. બુદ્ધિનો આધાર તૂટીને પ્રજ્ઞાધારી થાય.
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy