SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) શ્રુતજ્ઞાન પ્રશ્નકર્તા ઃ પ્રતીતિ ને જાણકા૨માં ઘણો ફેરને ? : ૨૧૩ દાદાશ્રી : પ્રતીતિમાં એ આ શિકાગોનું પ્લાનિંગ બધું કરી નાખે અને પછી જ્યારે જાતે જુએ ત્યારે એક્ઝેક્ટ અનુભવજ્ઞાન કહેવાય. પ્રશ્નકર્તા ઃ પ્રતીતિ જ્યારે જાતે જોઈએ ત્યારે ખોટી પડે ? : દાદાશ્રી : ના, એવું ના થાય. પ્રશ્નકર્તા ઃ અનુભવ અને શ્રુત એ બેમાં અંતર કેટલું ? દાદાશ્રી : અનુભવ થયો તો સાચું, નહીં તો ખોટું. જેનું ફળ ના આવે એ નકામું, યુઝલેસ. શ્રુતનું ફળ ઉપર અનુભવનું ઠૂંઠું આવવું જ જોઈએ. શ્રુતનું ફળ અનુભવ આવવો જ જોઈએ ને ના આવ્યો તો એ કાપી નાખવું સારું. બીજું નવેસરથી રોપાણ કરવું સારું. નવી ડિઝાઈન પકડવી સારી. જે શ્રુતને ફળ ના આવે એ શ્રુત ખોટું હોય છે. એ પોઈઝનસ શ્રુત છે. ખોટું ના દેખાય, આ બુદ્ધિથી સાચું દેખાય પણ આમ પોઈઝનસ થયેલું હોય. શ્રુત જે છે તે અહંકારથી પોઈઝનસ થઈ જાય છે. એ પછી ભગવાનનું શ્રુત હોય કે ગમે તેનું શ્રુત હોય પણ અહંકારથી પોઈઝનસ થઈ જાય. એટલે એને ફળ ના આવે. પ્રશ્નકર્તા : આપે આ શ્રુતનું ઉપરનું રૂપ બતાડ્યું, પણ જ્ઞાન અને શ્રુત એ બન્નેનો ભેદ જાણવો છે. દાદાશ્રી : હા, શ્રુત તો એ પોતે જ જ્ઞાન છે. પણ શ્રુતજ્ઞાન અને વિજ્ઞાન, બેનો ભેદ હોય છે. એ બેનો ભેદ જાણવો જોઈએ. અનુપમ-અપૂર્વ વાણી ‘પરમ શ્રુત’ પ્રશ્નકર્તા : શ્રુત મતિમાં જાય અને મતિથી પછી જે પ્રકાશ પામે, એના બદલે અપૂર્વ જ્ઞાનમાં સીધો જ પ્રકાશ પડે છે, તે વસ્તુનું દર્શન સીધું થાય છે, એ કયું જ્ઞાન ? દાદાશ્રી : અપૂર્વ જ્ઞાન તો, જ્ઞાની પુરુષ જે બોલે તેનો જ સીધો પ્રકાશ પડે. કોઈ જગ્યાએ સાંભળેલું ના હોય, વાંચેલું ના હોય, જોયેલું ના હોય, એવું જ્ઞાન હોય, એનું નામ અપૂર્વ કહેવાય.
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy