SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) જ્ઞાન-અજ્ઞાન ૨૦૫. દાદાશ્રી : કોઈ માણસને કોઈ માણસ કહે કે અહીંથી અમુક જગ્યાએ જશો નહીં, નહીં તો મુશ્કેલીમાં આવી પડશો. એટલે એણે અહીંથી આ જ્ઞાન લીધું, આ જ્ઞાનથી તે મુશ્કેલીમાંથી બહાર નીકળ્યો. એટલે આ જેટલા જ્ઞાન છે ને એ જ્ઞાન બધા લેવાના જ હોય છે. એ જે બોલે છે ને, તે લીધેલા જ્ઞાનથી બોલે છે. કોઈની પાસે લીધેલું આ જ્ઞાન છે. એને કોઈએ શીખવાડેલું છે કે જ્ઞાન લેવાની કોઈ જરૂર હોતી નથી. બધા લીધેલા જ્ઞાન છે. એ દાખલો આપીને બોલીએ તો સમજાય. એ જાણે કે આ આમ પેટી આપીએ એવી રીતે આપવા-લેવાનું છે ? ના, એવું નથી આ જ્ઞાન એટલે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાન આપવા-લેવાનું હોય, હું બોલું અને તમે સાંભળો ને પછી બોલો તોય પણ એ શ્રુતજ્ઞાન. એ તો વ્યવહારમાં પછી શી રીતે બોલવું ? પેલાએ કહ્યું કે તમારી પાસે જોખમ છે. એવું એ જ્ઞાન તો લેવું જ પડે ને સ્વીકાર કરવો પડે ને? એનું નામ આપણે જ્ઞાન લઈએ. આ તો પછી પેલા લોકોને, કોઈ એમના ગુરુ હોય તો શીખવાડ કે લેવાતું હશે જ્ઞાન તે? જ્ઞાન આપેલું ચાલતું હશે ? ત્યારે મૂઆ આપેલું અજ્ઞાન ચાલે? શું થાય ? પ્રશ્નકર્તા એવું પણ કહે છે ને કે કોઈ કોઈનું કંઈ કરી શકે નહીં. દાદાશ્રી : એ તો જોખમ છે. આવું બોલાય જ નહીં. ભયંકર જોખમ ! આ આને મારી નાખે તે જોવામાં આવે છે ને આવું કેવું બોલું છું ? એ ક્યાંની વાત ક્યાં લાવે છે ? સંસારની બહારની વાત છે એ તો. જ્યાં સંસારનો એન્ડ આવે છે, ત્યાર પછીની વાત અને એ સંસારમાં લાવ્યો મૂઓ. તે માર ખાઈ ખાઈને મરી જાય. પ્રશ્નકર્તા : આ ભણ્યો, શીખવા ગયો, સ્કૂલમાં ગયો, કૉલેજમાં ગયો, એ જ્ઞાન લીધું જ ને એણે ? દાદાશ્રી : બધું જ્ઞાન, આ બધાય લીધેલા જ જ્ઞાન છે. હું આ જ્ઞાન બોલું છું ને તમે શ્રુતજ્ઞાન સાંભળ્યું પછી એ તમે બીજાને કહ્યું, એ શ્રુતજ્ઞાન તમને પ્રગમ્યું અને બીજાને જો સમજણ પડી, તો તે ઘડીએ તમારું મતિજ્ઞાન કહેવાય. એટલે મતિજ્ઞાન આપવાનું હોય અને શ્રુતજ્ઞાન લેવાનું હોય.
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy