SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ અર્થે અથવા તો પાપથી બચવા ગ્રહણ ન કરી શકે. બલ્કે સૌએ અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય જ છે કારણ કે જેને દુઃખ પ્રિય નથી એવા જીવો દુઃખના કારણરૂપ પાપો કેવી રીતે આચરી શકે ? અર્થાત્ ન જ આચરી શકે. અસ્તુ! આત્માર્થીએ એક જ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આ મારા જીવનનો છેલ્લો દિવસ છે અને જો આ મનુષ્યભવમાં મેં આત્મપ્રાપ્તિ ન કરી તો હવે અનંત, અનંત, અનંત......... કાળ પછી પણ મનુષ્યજન્મ, પૂર્ણ ઈન્દ્રિયોની પ્રાપ્તિ, આર્ય દેશ, ઉચ્ચકુળ, ધર્મની પ્રાપ્તિ, ધર્મની દેશના વગેરે મળે તેમ નથી, પરંતુ અનંત, અનંત, અનંત......... કાળ પર્યંત અનંત, અનંત, અનંત......... દુઃખો જ મળશે. તેથી આ અમૂલ્ય-દુર્લભ મનુષ્યજન્મ માત્ર શારીરિક-ઈન્દ્રિયજન્ય સુખ અને તેની પ્રાપ્તિ પાછળ ખર્ચવા જેવો નથી, પરંતુ તેની એકપણ પળને વ્યર્થ ન ગુમાવતાં, માત્રને માત્ર, ત્વરાએ શાશ્ર્વત સુખ એવા આત્મિક સુખની પ્રાપ્તિ અર્થે જ લગાવવાં યોગ્ય છે. રાત્રિભોજન વિશે ૩૫
SR No.009206
Book TitleSukhi Thavani Chavi
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherJayesh Mohanlal Sheth
Publication Year2014
Total Pages59
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy