SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ ચિંતન | સૌ પ્રથમ એ સમજવું જરુરી છે કે મરણ એટલે શું અને ખરેખર મરણ કોનું થાય છે? ઉત્તર- આત્મા તો અમર હોવાથી ક્યારેય મરણ પામતો જ નથી, પરંતુ ખરેખર આત્માનો પુદ્ગલરૂપ શરીર સાથેનો એકક્ષેત્રવગાહ સંબંધનો અંત આવે છે, તેને જ મરણ કહેવાય છે. તેથી મરણ એટલે આત્માનું એક શરીર છોડી બીજા શરીરમાં જવું. સંસારમાં કોઈ એક ઘર છોડી, બીજા સારા ઘરમાં રહેવાં જાય છે ત્યારે અથવા કોઈ જૂના કપડાં બદલાવી નવાં કપડાં પહેરે છે ત્યારે શોક કરતાં જણાતાં નથી. ટ્રેઇનમાં સર્વે પોતપોતાનું સ્ટેશન આવતાં ઉતરી જાય છે, પરંતુ કોઈ તેનો શોક કરતાં જણાતાં નથી. તો મરણપ્રસંગે શોક કેમ થાય છે? તેનું સૌથી મોટું કારણ છે મોહ અર્થાત્ તેઓને મારા કરી માન્યાં હતાં, તેથી શોક થાય છે. સૌ કોઈ જાણે છે કે- સર્વેને એક દિવસ આ દુનિયામાંથી જવાનું છે, છતાં પોતા વિશે ક્યારેય કોઈ વિચાર કરતાં નથી અને તેની માટેની અર્થાત્ સમાધિ મરણની તૈયારી પણ કરતાં નથી; તેથી સર્વેએ પોતાના સમાધિ મરણ વિશે વિચારી તેના માટેની તૈયારી કરવા યોગ્ય છે. સમાધિમરણ ચિંતન ૨૭
SR No.009206
Book TitleSukhi Thavani Chavi
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherJayesh Mohanlal Sheth
Publication Year2014
Total Pages59
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy