________________
આયંબિલનું માહભ્ય
ચૈત્ર માસની ઓળી પર્વના દિવસો;
ચૈત્ર સુદ ૮ થી ચૈત્ર સુદ ૧૫ (From Friday, March 27, 2015 to Sunday, April 4,2015)
નજીક આવી રહ્યા છે.
લાખો શ્રાવક, શ્રાવિકા અને બાળકો વિધ્વના દરેક ભાગમાં પરમ પિતા ચરમ શાસનપતિ ભગવાન શ્રી મહાવીરસ્વામીના ગુણ ગાતા ગાતા કોઈ સ્થાનકમાં ભેગા થશે અને આયંબિલ-રસત્યાગ નામના આત્યંતર તપની આરાધના કરશે. અને શ્રી વીરપ્રભુના શાસનને જાજવલ્યમાન બનાવશે.
પ્રવચન પ્રભાવિકા બા. બ. પરમ પૂ. શ્રી વનિતાબાઇ મહાસતીજી ઉપદેશ આપે છે કે, આ નવ દિવસ રોજ આયંબિલ ન થાય તો રોજ માત્ર "નમો અરિહંતાણં ” પદની એક માળા તો જરૂર કરો.