SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રસ્તાવ ૧૨૭ વિશેષાર્થ – આ સંસારમાં સંસારી લોકો દહીંમાં રહેલું માખણ પ્રાપ્ત કરવા માટે દહીંનું મંથન (દહીંનું વલોણું) કરે છે. તેવી જ રીતે સમાધિદશા રૂપ ઉત્તમ તત્ત્વ મેળવવા માટે યોગી પુરુષો યમ-નિયમાદિ યોગનાં અંગોનો નિરંતર અભ્યાસ કરવારૂપે આત્મદશાનું પણ વલોણું કરે છે. યોગસાર સમાધિદશા પ્રાપ્ત થતાં આ આત્મા પોતાના સાચા ગુણો પ્રગટ થતાં ગુણપ્રાપ્તિ સ્વરૂપ પોતાનું સાચું સુખ અનુભવે છે અને તે અનુભવ દ્વારા પરમ તૃપ્તિને પામે છે. જ્ઞાનસારાષ્ટકમાં કહ્યું છે કે - “સમ્યજ્ઞાન રૂપી અમૃતરસનું પાન કરીને, સમ્યક્ ક્રિયારૂપી કલ્પવૃક્ષોનાં ફળો ચાખીને સમતાભાવ રૂપી તાંબુલનો આસ્વાદ કરીને મુનિ મહાત્માઓ પરમતૃપ્તિ અનુભવે છે.” આત્માને આત્મસ્વરૂપ પ્રગટ થતાં થતી જે આત્મતૃપ્તિ છે. એ આત્મતૃપ્તિ આત્મતત્ત્વની અનુભૂતિરૂપ છે. આત્મતત્ત્વનો યથાર્થ અનુભવ થાય છે. સમ્યજ્ઞાન, સમ્યક્ ક્રિયા અને સમતાભાવ - આ ત્રણેની એકાકારતા અનુભવાય છે. જ્ઞાન, ક્રિયા અને સામ્ય - આ ત્રણ આત્મતૃપ્તિનાં મુખ્ય ઉપાયો છે. આપણા જીવે સામ્યયોગસમતાભાવ સાધવાનો છે. તેથી તેના આ સર્વ ઉપાયોમાં નિરંતરપણે સાવધાની-પૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. ॥૧૮॥ अद्य कल्पेऽपि कैवल्यं, साम्येनानेन नान्यथा । प्रमादः क्षणमप्यत्र ततः कर्तुमसाम्प्रतम् ॥१९॥ ગાથાર્થ - આજે અથવા કાલે (આ જન્મમાં કે જન્માંતરમાં) પણ સમતાયોગથી જ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. અન્યથા કેવલજ્ઞાન પ્રગટ થતું નથી. તેથી આવી સમતાદશાને પ્રાપ્ત કરવા માટે એક ક્ષણ માત્ર પણ પ્રમાદ કરવો તે અસાંપ્રત (અનુચિત) છે. ।૧૯।
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy