SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૧ ૩ - ૧૩ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય કરું? ઇચ્છે ભગવંત, આજ્ઞા પ્રમાણે સ્વાધ્યાય કરું છું. (ગુરૂ પાસે સ્વાધ્યાય કરવાની આજ્ઞા મળતા, ૩ વખત મહામંગલકારી નવકાર મંત્ર ભણતા સ્વાધ્યાય શરૂ કરે છે.) (અહીં બે હાથ જોડીને મનમાં ત્રણ વાર નવકાર ગણવા.) પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવન્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧) સામાયિક લેવાની વિધિ સંપૂર્ણ આ વિધિમાં ‘કરેમિભતે”- સૂત્ર કે જેનું નામ સામાયિક દંડક સૂત્ર છે, તે મુખ્ય છે. તેના ઉચ્ચારથી સામાયિકની પ્રતિજ્ઞા લેવાય છે. અને સાવદ્ય યોગનો ત્યાગ થાય છે. તે પણ ગુરૂની આજ્ઞાપૂર્વક જ કરવાનું હોય છે. સામાયિક જેવી નિરવદ્ય શુદ્ધ ક્રિયામાં પ્રવેશતા પહેલા શરીર, ભૂમિ, વસ્ત્ર, ઉપકરણો વગેરેના પ્રતિલેખન અને પ્રમાર્જનાના ઉપલક્ષણ તરીકે મુહપત્તિનું પડિલેહણ કરવાનું છે, જેથી બાહ્ય તેમ જ આંતરિક શુદ્ધિ બરાબર થાય.
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy