SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪૫) ચારનું શરણ અંગીકાર કરું છું. અરિહંતોનું શરણ અંગીકાર કરું છું, સિદ્ધોનું શરણ અંગીકાર કરું છું, સાધુઓનું શરણ અંગીકાર કરું છું. અને કેવલીએ પ્રરૂપેલો ધર્મનું શરણ અંગીકાર કરું છું. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, દ્રવ્યની મૂર્છા, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિઅરતિ, પરપરિવાદ, માયામૃષાવાદ, અને અન્નારમું પાપ મિથ્યાદર્શનશલ્ય. આ અઢાર પાપસ્થાનક મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવામાં વિઘ્નભૂત અને દુર્ગતિનો બંધ કરાવનાર છે, તેથી આ અઢાર પાપને વોસરાવું છું. (૮-૧૦) એક છું હું, નથી મારું કોઈ, નથી હું અન્ય કોઈનો એમ અદ્દીન મનથી, આત્માને સમાવવો એક મારો શશ્વત આત્મા, જ્ઞાન-દર્શન-સંયુક્ત શેષ છે મારા બહિરભાવો, સર્વ સંયોગ-લક્ષણ સંયોગે ઉત્પન્ન થયેલી, જીવવડે પ્રાપ્ત દુ:ખ પરંપરા તે કારણે સંયોગ-સંબંધ, સર્વ ત્રિવિધ વોસિરાવ્યા અરિહંત મમદેવ, જીવું ત્યાં સુધી સુસાધુઓ ગુરુ જિન-પ્રણિત તત્ત્વ, એ સમ્યક્ત્વ મેં ગ્રહ્યું. ખમ્યા ખમાવ્યા મારે વિશે, ખમો સર્વ જીવનિકાય સિદ્ધોની સાખે હું આલોચના (કરું છું) મુજને વૈર ન ભાવ. ? સર્વે જીવો કર્મ વશ, ચઉદરાજ ભમે છે તે મારા વડે સર્વ ખમાવાયા, મને પણ તેહ ક્ષમા આપો (^) જે જે મન વડે બાંધ્યું, જે જે વાણી વડે ભાખ્યું પાપ જે જે કાયા વડે કર્યું, મિથ્યા (હો) મારું દુષ્કૃત તેહ. (૧૧) (૧૨) (૧૩) (૧૪) (૧૫) (૧૬) (૧૭)
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy