SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨૪) પત્ર ૪૦પ સંવત ૧૯૪૮ ભા.સુ.૧૦ અત્ર ક્ષણ પર્યત તમ પ્રત્યે કોઈ પણ પ્રકારે પૂર્વાદિ કાળને વિષે મન, વચન, કાયાના યોગથી જે અપરાધાદિ કાંઈ થયું હોય તે સર્વ અત્યંત આત્મભાવથી વિસ્મરણ કરી ક્ષમા ઈચ્છું છું; હવે પછીના કોઈ પણ કાળને વિષે તમ પ્રત્યે તે પ્રકાર થવો અસંભવિત જાણું છું, તેમ છતાં પણ કોઈક અનુપયોગ ભાવે દેહપતને વિષે તે પ્રકાર ક્વચિત્ થાય તો તે વિષે પણ અત્ર અત્યંત નમ્ર પરિણામે ક્ષમા ઈચ્છું છું; અને તે ક્ષમારૂપ ભાવ આ પત્રને વિચારતાં વારંવાર ચિંતવી તમે પણ તે સર્વ પ્રકાર અમ પ્રત્યેના પૂર્વકાળનાં વિસ્મરણ કરવાને યોગ્ય છો. ષત્ર ૪૦૧ સંવત ૧૫૩ ભા. સુદ ૬ પરમકૃપાળુ પૂજ્ય પિતાશ્રીજી, આજ દિવસ પર્યત મેં આપનો કાંઈ પણ અવિનય અભક્તિ કે અપરાધ કર્યા હોય તે બે હાથ જોડી મસ્તક નમાવીને શુદ્ધ અંત:કરણથી ક્ષમાવું છું. કૃપા કરીને આપ ક્ષમા આપશો. મારાં માતુશ્રી પ્રત્યે પણ તે જ રીતે ક્ષમાવું છું. તેમ જ બીજા સાથે સર્વે પ્રત્યે મેં કોઈ પણ પ્રકારનો અપરાધ કે અવિનય જાણતાં અથવા અજાણતાં કયા હોય તે શુદ્ધ અંત:કરણથી સમાવું . કૃપા કરીને સૌ ક્ષમા આપશોજી.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy