SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ F Ta (૪૧૨) નથી. પણ ભાવથી ચેતન જડરૂપ થઈ જાય છે. પોતે નથી તેમાં અહંભાવ લાવે છે. ભાવ તે આત્માનો છે. બધા ભાવ કાઢી નાખશો તો આત્મા રહી જશે તે કંઈ નીકળી જવાનો નથી. બીજામાં `સી પેંસી આત્માને સૂવાડી મૂક્યો છે. ન હોય તે ભાવ લાવે છે. કોઈ મરી ગયું હોય તેને સંભારીને રૂવે છે. છાતી ઉપર પથરો માર્યા જેવું કરે છે. જેને સંભારવાનો છે તેને નથી સંભારતો. ‘જીવ અનાદિકાળથી ભૂલી ગયો છે’’ એ પત્ર જે. ભાઈ પાસે બોલાવ્યો. ઋષભદેવની તથા પરીક્ષિત રાજાની વાત વિગેરે (પત્ર ન. ૨૦૦. વચનાવળી - સંતનો અદ્ભુત માર્ગ.) ચક્રવર્તી રાજા મોક્ષે ગયા અને તાંદુલમચ્છ નરકે જાય તે શું ? ફર્યું શું ? સમકિત. અનંતાનુબંધી ગયું. જે ગતિ થવાની હોય તેના ભાવ આવ્યા જં કરે. વાસના નાખી પછી જાય કેમ ? તે ભાવ આવ્યા જ કરે પણ સમકિત હોય તો તીવ્રભાવ આવે નહિં. સો વરસનો ઘરડો, બુકી કુહાડી મારે અને જુવાન તીક્ષ્ણ કુહાડી મારે તેવો ફેર પડે છે. બાળકને કહ્યું હોય આ છી છે. તે છી કહે - પણ પાછો હાથ ઘાલે. તેમ કેટલાક બાળજીવ છે તે તેવા છે. વાસના માટે. ‘‘સહાત્મસ્વરૂપ’’ નિધાન છે. શાસ્ત્રમાં બાર ભાવનામાં સંસારનું દુઃખમય સ્વરૂપ વર્ણવ્યું છે તેનું કારણ તે જ છે. પણ તા. ૨૯-૮-૩૩ વાળનો લોચ કરી શ્રી પાટ ઉપર બિરાજ્યા હતા, ચાર વાગે. ઉત્તરાધ્યયન અકામ-સકામ મરણ વંચાતું હતું. શ્રીએ પંડિતજીને પૂછ્યું :- ગૃહસ્થીને કેવળજ્ઞાન હોય તે ખરું કે નહીં ? પં. કહ્યું :- વાત ભાવ ઉપર છે એટલે હોય. શ્રીએ કહ્યું :- પાંચ માણસ કાઉસગ્ગ લઈ બેઠા હોય – એકના ભાવ હોય તો કર્મક્ષય કરી મોક્ષે જાય. બીજા બીજાં ભાવ કરે તો કર્મ બાંધે – બધી વાત ભાવ ઉપર છે.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy