SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૧) એમ સમજવું. - ૩. અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા,અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત્’ મળ્યા નથી, “સત્ સુર્યું નથી, અને સ’ શ્રધ્યું નથી. અને એ મળે, એ સુયે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. ૪. મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. ૫. બે અક્ષરમાં માર્ગ રહયો છે અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી? તે વિચારો. * પત્ર ૧૭૨ “મોહમયિ” નાખુદા મહોલો ૧૯૪૭ કાર્તિક સુદી ૧૪ બુધ. સત્ જિજ્ઞાસુ-માર્ગાનુસારી મતિ ખંભાત. ગઈકાલે પરમભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. આલ્હાદની વિશેષતા થઈ. અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય-અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી; ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? નિરંતર ઉદાસિનતાનો ક્રમ સેવવો; સત્પષની ભક્તિ પ્રત્યે લીન થવું. સપુરુષોનાં ચારિત્રોનું સ્મરણ કરવું; સત્પરુષોનાં લક્ષણનું ચિંતન કરવું; સપુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરીફરી નિદિધ્યાસન કરવા. તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું – નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય-શ્રવા યોગ્ય-ફરીફરી ચિંતવવા યોગ્ય-ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો-સર્વ
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy