SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) એ જ જ્ઞાનીની આજ્ઞા છે. ઉપયોગ એટલે અંતર પરિણામ યા તેવા પુરુષની દષ્ટિએ વર્તવું. પાકના કરેલ સમ્યત્વની સુલભતા તા ૪-૨-૨૭ સર્વ સારા વાના થશે. ફીકર કરવા જેવું નથી – “ફીકર કા ફાકા ભર્યા તાકા નામ ક્કર નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન જાય; કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય” વીત્યા કાળનો શોચ નહીં, આગામી વાંછે નહીં, વર્તમાન વર્તે સદા, તેમ વર્તવું. વીતી તાહી વિસારકે, આગમકી શુદ્ધ લેત; જો બની આવે સહજમેં, તાહમેં ચિત્ત દેત” મનુષ્યભવ દુર્લભ છે. ભલે રોગીયો, ગરીબ, અશક્ત, ઘરડો ગમે તેવો હોય પણ મનુષ્યભવ અને તેમાં સાચા અનુભવી પુરુષનો કોઈ સંતની કૃપાથી મળેલો મંત્રનો લાભ તે અપૂર્વ છે.તો “સહજાન્મસ્વરૂપ પરમગુરુ નો જાપ, તે જ ભાવના રાખવી ઉત્તમ છે. મુનિ મો. આવત, પણ નથી અવાયું તેમાં લાભ છે. આ આવ્યા અને એમને મળવું અને આમને સંભારવા અને બોલાવવા એ બધું ભૂલી જઈ એક જ્ઞાન દર્શન ચારિત્રની એકતારૂપ મારું સ્વરૂપ છે. તે ભગવાન, મને તેની ખબર નથી, પણ જ્ઞાની પુરુષોએ દીઠું છે. તેવું મારું સ્વરૂપ છે તેનું મને ભાન થાઓ, એ જ આનંદ સ્વરૂપ છે. બીજું બધું પાંચ ઇંદ્રિયોથી સુખદુ:ખરૂપ લાગે છે તે બધું ખોટું છે, ક્ષણિક છે. ટકવાનું નથી માત્ર નાટકના ખેલ જેવું છે. તેનો હવે હે પ્રભુ, વિશ્વાસ ન કરું અને મારું જે ચૈતન્યસ્વરૂપ શાશ્વતું, અચળ અને નિર્મળ છે, તે મને પ્રાપ્ત થાઓ અને તેની પ્રતીતિ અર્થે કપ -પા
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy