SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૦) દુકાન, ઘર, કુટુંબ વિગેરે બધાય ખોટા છે. જીવ એમ માને છે કે મારે ઠીક થયું છે અને આ ઠીક છે. પણ બધુએ ખોટુ છે, માટે એક સપુરુષ ઉપર દષ્ટિ રાખવી. જીવની વૃત્તિઓ બધી એક સત્પષ ઉપર જોડવાથી પરભાવ ઉપર મોળી પડે છે. સત્પષનાં બોધમાં તથા અજ્ઞાનીના બોધમાં બહુ ફેર હોય છે -- રાત અને દિવસ જેટલો.અજ્ઞાની પણ એમ જ કહે છે. પણ ખૂબી એ છે કે જ્ઞાનીના પર્યાય ચોંટી જાય છે, એ ઉખેડયા ઉખડતા નથી, કાત્યા નિકળતા નથી. એ કોઈ અપૂર્વ ખૂબી છે. જીવને ખબર પડતી નથી, પણ કાળે કરીને પ્રાપ્ત થઈ આવશે. જ્ઞાની પુરુષનું એટલું વચન એટલી પણ આજ્ઞા નક્કી થઈ હોય તો જીવનું કલ્યાણ થઈ જાય પણ જીવે સામાન્યપણું કરી નાખ્યું છે. તથા આરાધન કીધું નથી. સત્પષની આજ્ઞાનો મને સદાય નિશ્ચય રહો – એ ભાવના અવશ્ય કરવાની છે. જેવા પરિણામ હોય તેવા કર્મ બંધાય છે. આકરા પરિણામ હોય ત્યારે આકરા કર્મ બંધાય છે. આ એક કાંટો ભરાણો છે તે ત્રણે કાળને વિષે ફરે નહીં. જેવા પરિણામ પાપ પુણ્યના હશે તેવું ફળ મળશે. માટે કર્મ બાંધતા વખતે પરિણામ મોળા રાખવા. મન વચન કાયા ત્રણે જોગના આકરા પરિણામ હોય તો નીકાચીત કર્મ બંધાય માટે પાપની વખતે પરિણામ મોળા રાખવા.ભાવનાં ભાવતા થકાં કેવળજ્ઞાન હોય માટે પરિણામ ઉપર વાત છે. પુણ્યની વખતે પરિણામ આકરા હોય તો સારું પુણ્ય બંધાય. ભાણામાં ૧૦-૧૨ વસ્તુ પડી હોય પણ દષ્ટિ જેના ઉપર હોય તે ખવાય છે બીજી પડી રહે, માટે આત્મા ઉપર દષ્ટિ રાખવાથી એમ વિચાર આવે કે મારું નથી, આ મારો ભાવ નથી, મારું સ્વરૂપ જુદું છે. આ દેહાદિ મારું નથી. વિષય, કષાય, ક્રોધ, એ આદિ મારા નથી એમ લક્ષ રાખશો. એમ લક્ષ આવવાથી કર્મ બંધન થાય નહીં. માટે આત્મા ઉપર દષ્ટિ રાખવી એ કર્તવ્ય છે. આ દષ્ટિ સાધવા યોગ્ય છે.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy