SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૯) હવે શું છે ? (1) » તત્ સત્ (૨) સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ: (૩) જ્ઞાન, દર્શન, ચારિત્ર. (૪) અસંગ. અપ્રતિબંધ = આત્મા સમઝો. સમતા. ક્ષમા. ધિરજ. સમાધિમરણ - વિચાર સદ્દવિવેક જાણો શાંતિઃ શાંતિઃ (૫) હે જીવ, કાંઈક વિચાર વિચાર, કાંઈક વિચાર, વિરામ પામ, વિરામ એમ સમઝ. મૂકવું પડશે. જ્યાં કલ્પના જલ્પના ત્યાં માનું દુઃખ છાઈ, ઘટે કલ્પના જલ્પના તબ વસ્તુ તેને પાઈ. (૬) મૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્થતા તે ચાર ભાવના ભાવવી કર્તવ્ય છે. પત્ર નં. ૫૭ (કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેર બુદ્ધિ. પ્રમોદ એટલે કોઈપણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો. કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી. ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.) (૭) હે જીવ, સ્થિર દષ્ટિથી કરીને તું અંતરંગમાં જે તો સર્વ પદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. ૧. વ.મૃ.૫.૮૧૯ આંક ૭.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy