SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૬) તત્ સત્ રામબાણ બોધ શ્રી સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામીના ચરણ કમળમાં ત્રિકાળ ત્રિવિધ નમસ્કાર હો! (પરમ પૂજ્ય પ્રભુશ્રીના બોધની યથાસ્મૃતિ રાખેલી સંક્ષેપ નોંધ) કષાય શાંત કરવાનો ઉપાય શું ? શ્રુત (બોધ), શીલ (મહાવ્રત, ત્યાગી, તપ (ઈચ્છાનિરોધ) (શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વંચાતા) કેશીસ્વામી કહે છે - આપનો સાહસિક અને ઉન્મત્ત અશ્વ (મન) આપને ઉન્માર્ગમાં લઈ જતો નથી? અથવા તે અશ્વને તમે શી રીતે વશ રાખો છો ? ગૌતમસ્વામી :- તે ઉન્માર્ગ અને સન્માર્ગ સર્વને મેં જાણ્યા છે. ઉન્મત્ત અશ્વને વશ કરી, સન્માર્ગમાં (આત્મભાવમાં) જ રાખું પ્રશ્ન : :- મનમાં સંકલ્પ વિકલ્પ ઘણા થાય છે તેથી બળતરા થાય છે. મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, વિષયથી, રાગથી, દ્વેષથી વારંવાર અંતરમાં બળતરા ઉપજાવે છે, તેને શી રીતે શાંત કરવું? પ.પૂ.પ્રભુશ્રી કહે :- મનમાં સંકલ્પ વિકલ્પ થાય છે તેથી બળતરા થાય છે. પરંતુ આ અમે જે વાત બતાવીએ છીએ તેટલી જ શ્રદ્ધાથી માન્ય થાય તો રામબાણ માફક માન્ય કરનારનું જરૂર કલ્યાણ જ. પરંતુ જીવને વિશ્વાસ હોવો જોઈએ. શ્રદ્ધા થવી જોઈએ. બાકી આ સ્થળે અમે જે કહીએ છીએ તેટલા ઉપર જ શ્રદ્ધા રાખી માન્યતા કરશે તેનું કામ થઈ
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy