SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૪) સ્વચ્છંદ હતો, કલ્પના હતી, અણસમજણ હતી, અજ્ઞાનતા હતી, તેનો ભારે ખેદપૂર્વક પૂર્ણ પશ્ચાતાપ કરી, તેથી પાછા વળી, જ્ઞાનીની ક્ષમા ઈચ્છી, આત્માને નિઃશલ્ય કરો; અને હવે તો મારે એક પ.કૃ.દેવનું જ શરણ હો, તેની જ આજ્ઞામાં નિરંતર પ્રવર્તન હો, એણે જે સ્વરૂપ અનુભવ્યું છે તે જ મારું સ્વરૂપ છે, અન્ય દેહાદિ સંબંધમાં પોતાપણાની કલ્પના મિથ્યા છે એવી સમજણ અને શ્રદ્ઘા કર્તવ્ય છે. એમ જીવ પોતે કરશે ત્યારે જ છૂટકો છે. સાચી શ્રદ્ધા આવેથી સાચો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને જ્ઞાનીઓએ દેહાદિને અનિત્યાદિ કહ્યાં છે તે જીવના વિચારમાં સમજણમાં બેસે છે. સાચી શ્રદ્ધા સિવાય સાચો પ્રેમ ઉદભવતો નથી, અને સાચા પ્રેમ સિવાય વસ્તુની પ્રાપ્તિ અસંભવિત છે. ઉપર જણાવ્યા પ્રમાણે પ.કૃ.દેવની શ્રદ્ધા વિષે, પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના બોધાનુસાર સાચી શ્રદ્ઘાસહિત પ.કૃ.દેવની અપૂર્વ ભક્તિમાં ચિત્તને જોડી રાખવું, તેમાં લયલીન બનવું. અશાતા વેદનીય તેમ જ શાતા વેદનીય તો કર્માનુસાર છે. આત્મસ્વરૂપનો નાશ કરવા વેદનીય સમર્થ નથી, તો પછી તેનો ખેદ કે વિકલ્પ શો કરવો ? શા માટે પરમભક્તિમાં ભાવને વધારી બધાય જન્મમરણાદિ દુઃખોથી સદાને માટે મુક્ત ન થઈએ ? ખેદ કે આર્તધ્યાન કરવાથી તો તે વેદનીયથી જીવને નવા બંધનો થાય છે અને તે ભવિષ્યમાં ભોગવવા પડશે. તો સમજું પુરુષે પોતાના આત્માની દયા વિચારી, ક્ષમા અને ધીરજથી પોતાના ભાવો સુધારી આ પ્રાપ્ત થયેલ પ્રતિકૂળ પ્રસંગનો લાભ કેમ ન લેવો ? આ મિત્રરૂપ ભાસતાં પણ વસ્તુતાએ બળવાન શત્રુસમાન દેહાદિ સંયોગોમાં કોઈપણ પ્રીતિ કરવા યોગ્ય છે જ નહિ. તેનાથી પોતાના ભાવોને વાળી લઈ, પ.કૃ.દેવે બોધેલ ઉપશમ અને વૈરાગ્યમાં તથા. પ.કૃ.દેવની અપૂર્વ પરમ આજ્ઞાના આરાધનમાં, ભક્તિમાં, શરણ-આશ્રયમાં એકતા કરવી યોગ્ય છે. આપ સમજુ છો, તેથી ટુંકામાં જણાવવાનું જે પુનામાં ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ અત્યંત પરિશ્રમ ઉઠાવી, “પ.કૃ.દેવની શ્રદ્ધા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે” એમ જે જણાવ્યું હતું તથા ‘‘સંતના કહેવાથી મારે પ.કૃ.દેવની આજ્ઞા માન્ય છે’’ એમ પ્રતિજ્ઞાપૂર્વક
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy