SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ : Eવદર - Giri+A %8 * * (૨૨૫) દિવાળીનો બોધ સંતનું હૃદય ૧૯૯૦ના દિવાળીના દિવસે પ.કૃ.પ્રભુશ્રીએ પોતાનું હૃદય જણાવેલું તેથી તે બધાં શ્રોતાઓને થયેલું કે - આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય ક્ષણે ક્ષણે સમયે સમયે લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે : પ.પૂ.પ્રભુશ્રીએ કહેલું તેનો ઘણો જ ટુંકો સાર : અમે અમારું હૃદય જણાવીએ છીએ. અમને તો રોમ રોમ એક એ જ પ્રિય છે. અમારી જીવનદોરી એ જ (પરમકૃપાળુદેવ) છે. તેમના ગુણગ્રામ થાય ત્યાં અમને ઉલ્લાસ આવે છે. અમારું તો સર્વસ્વ એ જ છે. અમને એ જ માન્ય છે. તમારે એવી માન્યતા કરવી, એ તમારો અધિકાર છે. મહાભાગ્ય હશે એને એ માન્યતા થશે. સરળતાથી અમે જણાવીએ છીએ કે જેને એ માન્યતા થશે તેનું કલ્યાણ થઈ જશે. શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થશે તેનું ભવભ્રમણ મટી જશે. મેં તો આત્મા જાણ્યો નથી. પરંતુ યથાતથ્ય જ્ઞાનીએ (પરમકૃપાળુદેવે અને અનંતા જ્ઞાનીએ)એ જામ્યો છે, તેવો મારો આત્મા છે. જ્ઞાનીએ (પરમકૃપાળુદેવે) જે આત્મા દીઠો છે તે જ મારે માન્ય છે. તે પ્રાપ્ત કરવા તેમનું જ મારે શરણ માન્ય છે. આટલો ભવ મારે તો એ જ કરવું છે, એ જ માનવું છે કે પરમકૃપાળુએ જે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો મારો આત્મા શુદ્ર સિદ્ધ સમાન છે. તે મેં જાણ્યો નથી પણ માન્યતા વિશ્વાસ શ્રદ્ધા પ્રતીતિ રોમ રોમ એ જ કરવી છે.” આટલો ભવ એટલી જો શ્રદ્ધા થઈ ગઈ તો મારું અહોભાગ્ય.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy