SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૭) ભભ્ભા ભજન થકી ભય ટળે, નિશ્ચય કાળ કરાળ ન ગણે; ભેખ ધરે જો સિદ્ધિ થાય, ભાંડ ભવૈયા વૈકુંઠ જાય; જેવા ભાવ તેવા હરિ ફળે,ભભ્ભા ભજન થકી ભય ટળે. ૨૪ મમ્મા માયા મનની જાણ, મારું તારું ખેંચાતાણ; સઘળે સરખો આતમરામ, સાંધા વાંધા મનનું કામ; માટે મન હરિચરણે આણ, મમ્મા માયા મનની જાણ. ચ્યા જીવપણું જેહને, સંશય શોક સદ્દા તેહને; આતમ બુદ્ધિ ન ઉપજે કદા, આશા તૃષ્ણા બહુ આપદા; દેહદર્શી દેખે દેહને, મ્યા જીવપણું જેહને. રા રામ ભજનમાં રહે, બીજું બકવું મૂકી દે; વળતો શીદ વદે છે વાત, નીર વલોવે નાવે સ્વાદ; હરિનું હારદ હેતે ગ્રહે, રા રામ ભજનમાં રહે લલ્લા લે તું આતમ લ્હાવ, ફરીફરી નહિ આવે દાવ; જીતી બાજી હારીશ નહિ, સમજુને શિખામણ કહી; હવે ન ચૂકીશ આવ્યો દાવ,લલ્લા લે તું આતમ લ્હાવ. વવ્યા વેદ વચન નિરધાર, ઊંચ નીચનું અંતર નથી, સંશય સૌ તજવો અહંકાર, જે પ્રીછે તે પામે પાર; સમજ્યા તે પામ્યા સદ્ગતિ; વા વેદ વચન નિરધાર. શશા સાધન સર્વે થયું, જેનું ચિત્ત હરિ ચરણે રહ્યું; હરતાં ફરતાં હરિનું ધ્યાન, તપ તીરથ તેને બહુ દાન; કોટિ વિધાન ભય દુષ્કૃત ગયું,શશા સાધન સર્વે થયું. ખમ્મા ખાંડના બીબાં ભરે, કોયલ કાગડો કુંજર કરે; મીન મગર બહુ જળચર જાત, જેવું બીબું તેવી ભાત; મિસરી જોતાં તો મન ઠરે,ખખ્ખા ખાંડનાં બીબાં ભરે. ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy