SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૮) می શ્રી પદ્મનંદિમુનિ વિરચિત પદ્મનંદિ પંચવિંશતિ માંથી આલોચના અધિકાર ગુજરાતી અવતરણ (હરિગીત) પ્રસ્તાવિક પદ્ય બહિરાત્મભાવે હે ! પ્રભુ, થયું ભ્રમણ ભ્રાંતિમાં ઘણું, ઇન્દ્રિય ખાડીમાં ખુંચ્યો, જળ ડહોળું જ્યાં વિષયોતણું; કાદવ કષાય ગળા સુધી-કંટાળતાં પણ ના ટળે, સ્વચ્છંદ સાથી મોહનો પુરુષાર્થ-પ્રેરક પણ કળે. પરિગ્રહતણાં ધરી પોટલાં, માથે ડુબ્યા બહુ બાપડા, તારાતણું અભિમાન ધરનારા અહિં બહુ આથડયા; તરવા જતાં તળીએ જતા, પાણી પીતા ને ડુબતા, વળી તારવા પડનાર અજ્ઞાની ઘણા ખાતા ખતા. તેથી આગ્રહ-ગ્રાહ કને જતાં, મુશ્કેલ છૂટવું, મતમતાંતર-મચ્છનું જ્યાં ગચ્છ-પુચ્છે ગર્જવું; પેઠા પછી જો નીકળે બળવાન તે કળિમાં કહું, મિથ્યાત્વથી જ્યાં મોજ માણે પુણ્યકાળે જન સહુ. સંસાર દરિયો દુ:ખનો, પણ મોહ ભૂલવી રીઝવે, કારણ ઉપાસે દુ:ખનાં તો દુ:ખ આખર મુંઝવે; સંસાર શોભા ઝેર તોયે, ઈચ્છા કરી ઉપાસતાં, ૧ ૨ ૩ જીવ અમૃત જો ગણે, પરિણામ પામે વિષપણે ૪
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy