SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર મૂળમાં ભૂલ કારણ થાય છે, માટે નિમિત્તનું બળ આવ્યું કે નહિ? આવી દલીલ નિમિત્તે કરી. હવે ઉપાદાન તેનું સમાધાન કરે છે - હિંસામેં ઉપયોગ જહું રહું બ્રહ્મકે રાચ; તેઈ નર્કમેં જાત હૈ, મુનિ નહિ જાહિં કદાચ. ૧૩ અર્થ- હિંસાદિમાં જેનો ઉપયોગ (ચૈતન્યના પરિણામ) હોય અને જે આત્મા તેમાં રાચી રહે તે જ નરકમાં જાય છે, ભાવ-મુનિ કદાપિ નરકમાં જતા નથી. ૧૩. પરજીવની હિંસા અને જડનો પરિગ્રહ એ વગેરેમાં જીવને જો મમત્વરૂપ અશુભભાવ થાય છે તો જ તે નરકમાં જાય છે. કોઈ પરવસ્તુના કારણે કે પર જીવ મર્યા તે કારણે કોઈ જીવ નરકમાં જતાં નથી, પરંતુ જે જીવોનો ઉપયોગ અશુભ પરિણામોમાં લીન થઈ રહ્યો છે તે નરકમાં જાય છે. પર જીવ મરે કે રાજપાટના અનેક સંયોગ હોય તેથી જીવ નરકમાં જતો નથી, પણ મેં રાજ કર્યું. પર જીવને માર્યો, પૈસા મારાં એ વગેરે મમત્વપરિણામથી જ જીવ નરકમાં જાય છે. ભાવમુનિ કદી પણ નરકમાં જતા નથી. કોઈવાર મુનિના પગ નીચે જીવ આવી જવાથી કદાચ કોઈ જીવ મરી જાય તોપણ સાચા મુનિ કદી નરકમાં જતાં નથી, કેમ કે તેમને ઊંધા ભાવ-હિંસક પરિણામ નથી. ઊંધા ભાવવાળો નરકમાં જાય છે, પણ કાંઈ નિમિત્તવાળા નરકમાં જાય-એમ નથી. પ્રશ્ન:- આપે કહ્યું કે નિમિત્તવાળા નરકમાં જતાં નથી, તો અમારે ઘણા પૈસા વગેરે પરિગ્રહ રાખવામાં વાંધો નથી ને? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.009193
Book TitleMul ma Bhul
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy