SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્ત દોહરા ૧૨૫ જે ક્ષણે પોતાની લાયકાત છે તે ક્ષણે જીવ પોતાની શક્તિથી જ્ઞાન કરે છે અને ત્યારે નિમિત્ત તરીકે શાસ્ત્ર હોય છે. જ્ઞાન થવાનું હોય માટે શાસ્ત્રને આવવું જ પડે તેમ નથી, અને શાસ્ત્ર આવ્યું માટે જ્ઞાન થયું-એમ પણ નથી. આમાના સામાન્ય જ્ઞાનસ્વભાવનું વિશેષરૂપ પરિણમન થઈને જ જ્ઞાન થાય છે તે જ્ઞાન નિમિત્તના અવલંબન વગર અને રાગના આશ્રય વગર સામાન્ય જ્ઞાનસ્વભાવના આશ્રયે જ થાય છે. ૭. કુંભારને લીધે ઘડો થયો નથી. માટીને જે સમયની પર્યાયમાં ઘડો થવાની લાયકાત છે તે જ સમયે તે પોતાના ઉપાદાનથી જ ઘડારૂપે થાય છે, અને તે વખતે કુંભારની હાજરી (ઉપસ્થિતિ) તેના પોતાના કારણે હોય છે-તેને નિમિત્ત કહેવાય છે. ઘડો થાય તે વખતે કુંભાર વગેરે ન હોય તેમ બને નહિ પણ કુંભાર આવ્યો માટે માટીની અવસ્થા ઘડારૂપે થઈ–એમ નથી; ઘડો થવાનો હતો માટે કુંભારને આવવું પડ્યું એમ પણ નથી. માટીમાં સ્વતંત્ર તે સમયની પર્યાયની લાયકાતથી ઘડો થયો છે અને તે વખતે કુંભાર પોતાની પર્યાયની સ્વતંત્ર લાયકાતથી હાજર છે; પણ કુંભારે ઘડો કર્યો નથી, તેમજ કુંભારના નિમિત્તથી ઘડો થયો નથી. ૮. એક પર્યાયમાં બે પ્રકારની લાયકાત હોય જ નહિ. પ્રશ્ન- જ્યાં સુધી કુંભાર રૂપ નિમિત્ત ન હતું ત્યાં સુધી માટીમાંથી ઘડો કેમ ન થયો? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.009193
Book TitleMul ma Bhul
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy