SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૬:સ.ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં કિ, ૫. અને અ. ૮૭ ચોથું ગુણસ્થાન છે અને આનું પહેલું ગુણસ્થાન છે. અહીં જો પરિણામોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો દ્રવ્યલિંગી મુનિને કષાયોની પ્રવૃત્તિ થોડી છે, તથા અવિરતી અને દેશવ્રતીને કષાયોની. પ્રવૃત્તિ વધારે છે. આ જ કારણથી દ્રવ્યલિંગી મુનિ નવમી ગ્રેવેયક સુધી જાય છે, જ્યારે કે અવિરતી અને દેશવ્રતી સોળમા સ્વર્ગ સુધી જ જાય છે. દ્રવ્યલિંગીને મહામંદ-કષાય તથા અવિરત સમ્યગ્દષ્ટિ અને દેશવ્રતીને તેમની અપેક્ષાએ તીવ્ર કષાય હોવાથી પણ તેને આ બન્નેથી હીના બતાવવામાં આવ્યા છે; કારણકે કષાયોની પ્રવૃત્તિ થવાથી પણ સમ્યગ્દષ્ટિના શ્રદ્ધાનમાં કોઇ પણ કષાય કરવાનો અભિપ્રાય નથી; જ્યારે કે દ્રવ્યલિંગીને શુભકષાય કરવાનો અભિપ્રાય જોવામાં આવે છે. અને શ્રદ્ધાનમાં તે તેને ભલો જાણે છે. માટે શ્રદ્ધાનની અપેક્ષાએ તેને (દ્રવ્યલિંગીને) અસંયત સમ્યગ્દષ્ટિથી પણ વધુ કષાય છે. પ્રશ્ન:- જોદ્રવ્યલિંગીને કષાય કરવાનો અભિપ્રાય હોયતો તે નવમી રૈવેયક સુધી કેવી રીતે જાય છે? ઉત્તર :- પુય અને પાપનો ભેદ અઘાતિ કર્મોમાં હોય છે, તથા શુભ કે અશુભ યોગ અનુસાર પુણ્ય કે પાપનો બંધ થાય છે. દ્રવ્યલિંગીને શુભરૂપ યોગોની પ્રવૃત્તિ બહુ હોય છે, માટે તે અંતિમ ગ્રેવેયક સુધી પણ જાય છે; પરંતુ તેથી તેને કોઇ લાભ થતો નથી; કારણ કે અઘાતિકર્મ આત્મગુણના ઘાતક હોતા નથી. ગોત્રકર્મના ઉદયથી ઉચ્ચપદ કે નીચપદ પ્રાપ્ત થાય તો શું થયું? તે તો માત્ર બાહ્ય-સંયોગ છે, સંસાર દશાના સ્વાંગ છે; માટે આત્માને તેમાં કોઇ લાભ કે હાનિ નથી. પ્રશ્ન:- ઘાતિ કર્મનો આત્મગુણોના ઘાતમાં નિમિત્ત છે, દ્રવ્યલિંગી મુનિને તેમનો બંધ કયા પ્રકારે થાય છે? ઉત્તર :- ઘાતિયા કર્મોનો બંધ બાહ્ય-પ્રવૃત્તિનુસાર થતો નથી,
SR No.009192
Book TitleKriya Parinam ane Abhipray
Original Sutra AuthorN/A
AuthorAbhaykumar Jain, Deepak M Jain
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year2004
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy