SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૬:સ. ચાત્રિ માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાંકિ. ૫. અને અ. ૧૯ પ્રકરણ પ્રારંભ કરતાં પહેલાં પંડિત ટોડરમલજીએ વ્યવહારાભાસી ધર્મધારકોની સામાન્ય પ્રવૃત્તિનું માર્મિક ચિત્રણ કરતાં તેમની ભક્તિ, દાન, વ્રત, પૂજા તથા શાસ્ત્રાભ્યાસ વગેરે ધર્માચરણનું તથા તે સમયે થનારા પરિણામોના સ્વરૂપનું વર્ણન કર્યું છે. પૃષ્ઠ ૨૨૮ પર કરેલું નીચે જણાવેલ વર્ણન વારંવાર વાંચવાયોગ્ય છે. વ્યવહારાભાસી ધર્મધારકોની સામાન્ય પ્રવૃત્તિ:“હવે તેમને ધર્મનું સાધન કેવું હોય છે તે અહીં દર્શાવીએ છીએ: કેટલાક જીવો કુળપ્રવૃત્તિ વડે વા દેખાદેખી લોભાદિકના અભિપ્રાયપૂર્વક ધર્મ સાધન કરે છે, તેમને તો ધર્મદષ્ટિ જ નથી. જો ભકિત કરે છે તો ચિત્ત તો કયાંય છે, દષ્ટિ ફર્યા કરે છે, તથા મુખેથી પાઠાદિક વા નમસ્કારાદિક કરે છે, પરંતુ તે ઠીક નથી. તેમને “હું કોણ છું, કોની સ્તુતિ કરું છું, શું પ્રયોજન અર્થે સ્તુતિ કરું છું, તથા આ પાઠનો શો અર્થ છે?” એ આદિનું કાંઇ ભાન નથી. કદાચિત કુદેવાદિકની પણ સેવા કરવા લાગી જાય છે, ત્યાં સુદેવગુરૂ-શાસ્ત્રાદિમાં અને કુદેવ-ગુરૂ-શાસ્ત્રાદિની વિશેષ પિછાણ નથી. વળી તે દાન આપે છે તો પાત્ર-અપાત્રના વિચારરહિત જેમાં પોતાની પ્રશંસા થાય તેમાં દાન આપે છે. તપ કરે છે તો ભૂખ્યા રહેવાથી જેમ પોતાનું મહંતપણું થાય તે કાર્ય કરે છે; પણ પરિણામોની પિછાણ નથી. વ્રતાદિક ધારે છે તો બાહ્મક્રિયા ઉપર જ દૃષ્ટિ છે; તેમાં પણ કોઈ સાચી ક્રિયા કરે છે તો કોઇ જૂઠી કરે છે, પણ અંતરંગ રાગાદિભાવ થાય છે તેનો તો વિચાર જ નથી; અથવા બાહ્ય માં પણ રાગાદિક પોષવાનું સાધન કરે છે. વળી પૂજા-પ્રભાવનાદિ કાર્ય કરે છે તો ત્યાં લોકમાં પોતાની જેમ. મોટાઇથાય વાવિષયકષાયપોષાય તેમ એ કાર્યો કરે છે, તથા ઘણાં હિંસાદિક
SR No.009192
Book TitleKriya Parinam ane Abhipray
Original Sutra AuthorN/A
AuthorAbhaykumar Jain, Deepak M Jain
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year2004
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy