SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય - ૧ : ભૂમિકા અબ કયોં ન વિચારતી હૈ મન મેં, કછુ ઔર રહા ઉન સાધન સેં બિન સદ્ગુરૂ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કિ બાત કહે ૪ ઉપરોકત વિવેચનથી નીચે જણાવેલ હકીકત ફલિત થાય છે. (૧) આ જીવે અનંતવાર મહાવ્રતાદિકરૂપ શુભક્રિયાઓ કરી છે. (૨) શુભક્રિયા કરતા તેના પરિણામ શુભભાવરૂપ થયા છે. તથા તેને ૧૧ અંગ ૯ પૂર્વનું ક્ષયોપશમજ્ઞાન પણ થયું છે. (૩) શુભાચરણ અને શુભ પરિણામ થયા બાદ પણ તેને આજ સુધી મોક્ષમાર્ગની પ્રાપ્તી થઇ નથી. માટે સહજ જ પ્રશ્ન ઉદ્ભવે છે કે શુભાચરણ અને શુભભાવ હોવા છતાં તેને આજ સુધી મોક્ષમાર્ગ કેમ મળ્યો નથી? આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રસ્તુત અનુશીલનનો એક માત્ર ઉદ્દેશ છે. ઉપરોક્ત પંક્તિઓમાં પણ શ્રીમદ્જીએ વિચાર કરવાની પ્રેરણા આપતાં કહ્યું છે કે:- “અબ કયોં ન વિચારતા હૈં મન મેં, કછુ ઔર રહા ઉન સાઇન લેં' અહીં અમે માત્ર આ તથ્ય તરફ આપનું ધ્યાન આકર્ષિત કરવા ઇચ્છિએ છીએ કે ઉપર જણાવેલ વિષયો અનુસાર શુભક્રિયા અને શુભ પરિણામ હોવા છતાં મોક્ષમાર્ગ મળ્યો નથી તો હવે ક્યો ત્રીજો ઉપાય બાકી રહી ગયો કે જેના અભાવથી મોક્ષમાર્ગ મળી ન શક્યો? માટે સુજ્ઞ પાઠકોને વિનમ્ર અનુરોધ છે કે આ પ્રકરણને દ્રવ્યલિંગીની નિન્દા-પ્રશંસા કે શુભભાવોના વિરોધ કે સમર્થન ના સંદર્ભમાં નજોતા માત્ર ક્રિયા, પરિણામ અને અભિપ્રાય ના અનુશીલનના સંદર્ભમાંજ ગ્રહણ કરો; તો જ આપ આ વિષયને હૃદયંગમ બનાવી જિનાગમના માર્મિકતેમજ સર્વાધિક પ્રયોજનભૂત રહસ્યથી પરિચિત થઇ શકશો. અહીં અમારો ઉદ્દેશ શુભાચરણ કે શુભભાવ હેય છે કે નહીં – એવા. તથ્યની મીમાંસા કરવાનો નથી કે ન તો કોઇ વ્યકિતની મીમાંસા કરવાનો છે, અમે તો માત્ર તે તથ્યની ચર્ચા કરવા ઇચ્છિયે છીએ, કે જેમાં સમજયા
SR No.009192
Book TitleKriya Parinam ane Abhipray
Original Sutra AuthorN/A
AuthorAbhaykumar Jain, Deepak M Jain
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year2004
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy