SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ મોમારામમમાઢંઢે, દેયાદ્દિગંમ: | एते यस्य न विद्यते, तं देवं प्रणमाम्यहम् ।।१।।' ભાવાર્થ :- પ્રથમ પદના આઠ અક્ષરને, બીજા પદના આઠ અક્ષર સાથે અનુક્રમે જોડવાથી, શ્લોકનો અર્થ સ્કુટ થાય છે, જેમકે જેને મોહ, માયા, રાગ, મદ, મલ, માન, દંભ, દ્વેષ નથી તે દેવને હું નમસ્કાર કરું છું, તે દેવ એક વીતરાગ જ છે. વીતરાણ પરમાત્મા બે પ્રકારના (૧) ભવસ્થ પરમાત્મા, (૨) સિદ્ધ પરમાત્મા. ક્ષપશ્રેષામારુ, gવા ઘાતQર્મમાં નાશ: I आत्मा केवल भूत्या, भवस्थ परमात्मतां भजते ।।१।। तदनुभवोग्राहक, कर्मसमूह समूलमुन्मूल्य । [મયા ભો, પ્રાતોડસો સિદ્ધપરમાત્મા THશા' ભાવાર્થ - જે જીવ ક્ષપક શ્રેણિ પર આરૂઢ થઇ, ઘાતિકર્મનો નાશ કરી, કેવલજ્ઞાનની વિભૂતિ વડે આત્માને વિભૂષિત કરે છે. તે ભવસ્થ પરમાત્મા કહેવાય. ૧. ત્યાર બાદ ભવોપગ્રાહી કર્મ સમૂહને, મૂળથી ઉખેડી નાખી, અજુગતિવડે લોકના અગ્રભાગને પામેલ આત્મા, મોક્ષમાં ગયેલો આત્મા, સિદ્ધ પરમાત્મા કહેવાય છે. (૧) ભવસ્થ પરમાત્માની સ્થિતિમાન, જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી દેશોના પૂર્વકોટી હોય છે. (૨) સિદ્ધસ્થ પરમાત્માની સ્થિતિમાન સાદિ અનંત છે. પરમાત્મા બે પ્રકારે (૧) ભવસ્થ કેવલી, (૨) સિદ્ધા. ભવસ્થ વલી બે પ્રકરના (૧) જિના, (૨) અજિના (૧) જિના :- તે જિનનામ કર્મ ઉદયિનઃ, તીર્થંકરા: (૨) અજિના :- તે સામાન્ય કેવલીયો. જિના નિક્ષેપથી ચાર પ્રકારે છે. (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ભાવ. ચાર પ્રકારે છે. 'नामजिणा जिणनामा, ठवणजिणा जिणंद पडिमाओ | હૃધ્વનિપાનનીવા, માવળિUા સમરVIત્થા IIકા” ભાવાર્થ - (૧) નામજિના :- ૭ષભઅજિતાદિ નામજિનો કહેવાય છે, તે સાક્ષાત જિનગુણ રહિત છતાં પણ, પરમાત્માના ગુણસ્મરણાદિકના હેતુપણાથી, તથા પરમાત્મ સિદ્ધિ કરવાવાળા હોવાથી, સદ્રષ્ટિપણાથી, સુદ્રષ્ટિજીવોએ નિરંતર સ્મરણ કરવા, લોકને વિષે મંત્રાલરના સ્મરણ કરવાથી ઉત્પન્ન થયેલા કાર્યની સિદ્ધિ દેખાય છે, માટે તે પ્રથમ નામજિનો કહ્યા છે. Page 17 of 51
SR No.009186
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy