SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ એકવાર અગાશીમાં પાઠક ત્રણ છોકરા સાથે સૂતેલા તેમાં વિધાધર મનુષ્યો આકાશમાં જતાં હતા. પાઠક જાગતા હતા તેમાં સાંભળ્યું કે આ ત્રણ વિદ્યાર્થીમાંથી બે નરકે જવાના છે અને એક સ્વર્ગે જશે. પાઠકને સાંભળીને ચિંતા થઇ મારા ભણાવેલા વિધાર્થી નરકે જશે ? મારે ભણાવવા નહિ અને આ ત્રણેયની પરિક્ષા. કરવી પછી એક દિવસ લાક્ષા રસના કુકડા ત્રણ બનાવી ત્રણેયને એક એક આપી કહ્યું કે કોઇ ન જુએ ત્યાં જઇ મારી આવો એવી મારી આજ્ઞા છે. તે ત્રણેય કુકડા લઇને જુદી જુદી દિશામાં ગામ બહાર ગયા. તેમાં રાજાના દિકરાએ ચારે બાજુ જોયું. કોઇ ન દેખાવાથી ડોક મરડી નાંખીને મારીને પાછો આવ્યો. પાઠકનો પોતાનો દિકરો પર્વત નામનો તે પણ તે રીતે કરી પાછો આવ્યો ત્યારે પાઠકને લાગ્યું કે જરૂર આ બે નરકે જશે. પણ નારદની રાહ જોવાની હતી તે ગામ બહાર જઇ ગુફામાં જઇ વિચાર કરે છે. તેમાં એને લાગ્યું કે આનો અર્થ એ થાય કે કુકડાને મારવો નહિ એમ જાણીને ઘણા કાળે વિલંબથી પાઠક પાસે કુકડો લઇને આવી પાઠકને પાછો આપ્યો. પછી પાઠકે કહ્યું ત્યારે હકીકત જણાવી. પાઠક સમજી ગયો કે આ સ્વર્ગે જશે. પછી પાઠક ભણાવાનું છોડી સન્યાસ લઇ પોતાના આત્માનું કલ્યાણ કરવા નીકળી પડ્યો તેમાં ઘણાં વર્ષો બાદ વસુ રાજા થયો. પર્વત વિધાર્થીઓને ભણાવે છે અને પોતાની આજીવિકા ચલાવે છે. તેમાં નારદ તો. તો પર્વતને ત્યાં આવ્યો ત્યાં ભણાવતાં ભણાવતાં પર્વત અજ શબ્દનો અર્થ બકરો કરે છે ત્યારે નારદ કહ્યું કે પાઠકે અજ એટલે ઉગી ન શકે એવું ધાન્ય કહ્યું છે. બકરો કે બોકડો કહ્યો નથી. ત્યારે પર્વત માન્યું નહિ અને વસુરાજા ન્યાયી હોવાથી તેની પાસે ન્યાય લેવા જવાનું નક્કી કર્યું. જે હારે તેની જીભ કાપી લેવી. એ આકરી શરત કરી. પર્વતની માએ પર્વતને કહ્યું નારદ સાચો છે તું ખોટો છે પણ પર્વત માન્યું નહિ. પોતાના પુત્રના જીવિત માટે તે માં સાંજના વસુરાજા પાસે ગઇ, વસુરાજાને હકીકત જણાવી. મારા દીકરાને નુક્શાન ન થાય તેમ કરવા વચન માગ્યું. રાજાએ વચન આપ્યું. સવારે રાજસભામાં બન્નેની વાતની રજુઆત થઇ તેમાં વસુરાજા બોલ્યો કે અજ એટલે બોકડો-બકરો એટલું કહેતા જ વસુરાજા આયુષ્ય બાંધી. નરકે ગયા. આ મૃષાવાદ એટલે અસત્ય બોલવા માટેના વિચારોને સ્થિર કરતાં જીવો આ રીતે નરકનું આયુષ્ય બાંધે છે. (૩) તેયાનુબંધિ રૌદ્રધ્યાન : તેય = ચોરી. કોઇએ ન આપેલી વસ્તુ તેને જાણ કર્યા વગર ગ્રહણ કરવી તે તેય કહેવાય છે. પોતાની અનુકૂળતાઓ મેળવવા-ભોગવવા, સાચવવા, ટકાવવા, વધારવા અને ન ચાલી જાય તેની કાળજી રાખવા માટે તથા મારી પાસે છે તેની કોઇને ખબર ન પડે તે માટે પારકી ચીજો પૂછયા વગર લેવી. લઇને છૂપાવવી. અને તેમાં હોંશિયારી માનીને તેના વિચારોમાં એકાગ્ર થયા કરવું અને એજ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે એમ માની જીવન જીવવું તે તેયાનુબંધિ રીદ્રધ્યાન કહેવાય છે. આ રોદ્ર ધ્યાનના પરિણામમાં રહેલા જીવોને મૃષા બોલવું હોય તો તેમાં દુ:ખ થતું નથી. તેમજ કોઇ જીવની હિંસા કરવી હોય તો તેમાં જરાય અરેરાટી કે કંપારી થતી નથી. ઉપરથી આનંદ માને કે હાશ સારું થયું. આ રૌદ્રધ્યાનમાં આવા વિચારોથી ઉપરના બે રોદ્ર ધ્યાન પણ પ્રાપ્ત થઇ શકે છે. આ ત્રીજું ગણાય છે. (૪) સંરક્ષણાનુબંધિ રૌદ્રધ્યાન : પોતાની પાસે જે અનુકૂળ સામગ્રી આવેલી હોય અર્થાત મહેનત કરીને મેળવેલી હોય તેના પ્રત્યે અત્યંત રાગ મમત્વ કરીને તે બગડી ન જાય-કોઇ જોઇ ન જાય એમ વિચારો કરી કરીને તેની રક્ષા કર્યા કરે અને વારંવાર તે પદાર્થને જોઇને આનંદ માનતો માનતો અત્યંત રાગ પેદા કરતો જાય. તે પદાર્થ Page 92 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy