SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ભવનપતિ-વ્યંતર. જ્યોતિષ અને વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવોને પહેલા ગુણસ્થાનકે-૧. અનંતાનુબંધિ અનંતાનુબંધિ- ૨. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય-૩. અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય-૪. અનંતાનુબંધિ સંજ્વલન એમ ૪ કષાયો હોય છે. અનંતાનુબંધિ-અનંતા. કષાયથી જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમા એકેન્દ્રિયનું આયુષ્ય બાંધે છે. તેમાં પણ બાદર પર્યાપ્ત પ્રત્યેક રૂપે પૃથ્વીકાયનું-અકાયનું કે પ્રત્યેક વનસ્પતિકાયનું આયુષ્ય બાંધી શકે છે. અનંતાનુબંધિ-અપ્રત્યાખ્યાનીય કષાયથી આ જીવો આયુષ્યનો બંધ કરે તો સન્ની પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોનું આયુષ્ય બાંધે છે. તેમાં જઘન્ય આયુષ્ય બાંધતા નથી. મધ્યમ આયુષ્યથી શરૂ કરીને ઉત્કૃષ્ટથી પૂર્વ ક્રોડ વરસનું આયુષ્ય બાંધી શકે છે. અનંતાનુબંધિ પ્રત્યા, કષાયથી આ જીવો આયુષ્યનો બંધ કરે તો મનુષ્યનું આયુષ્ય બાંધે છે તેમજ અનંતાનુબંધિ સંજ્વલન કષાયથી પણ મનુષ્ય આયુષ્ય બાંધી શકે છે તેમાં જઘન્ય આયુષ્યનો બંધ કરતાં નથી પણ મધ્યમ આયુષ્યથી શરૂ કરી ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વરસન આયુષ્ય બાંધી શકે છે. બીજા ગુણસ્થાનકે-અનંતાનુબંધિ-અપ્રત્યાખ્યાનીય કષાયથી તિર્યંચ આયુષ્ય પંચેન્દ્રિય તિર્યંચનું બંધાય છે. અનંતાનુબંધિ-પ્રત્યા. અને અનંતાનુબંધિ-સંજ્વલન કષાયથી મનુષ્ય આયુષ્ય બાંધે છે. ચોથા ગુણસ્થાનકે-અપ્રત્યાખ્યાનીય-અનંતાનુબંધિ-અપ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યા યાનીય-અપ્રત્યાખ્યાનીય-સંજ્વલન આ ચારેય કષાયોથી જીવો નિયમા મનુષ્ય આયુષ્ય બાંધે છે. આ બીજાથી ચોથા ગુણસ્થાનક સુધીમાં જે કહ્યું છે તે ભવનપતિથી શરૂ કરી નવ ત્રૈવેયકના દેવો સુધી જાણવું તેમાં વૈમાનિકના નવમા દેવલોકથી નવ ત્રૈવેયક સુધીમાં રહેલા દેવો તિર્યંચગતિ બાંધતા ન હોવાથી તિર્યંચાયુ બાંધતા નથી. વૈમાનિકના ત્રીજા દેવલોકથી આઠમા દેવલોક સુધીમાં રહેલા દેવોનું વર્ણન. પહેલા ગુણસ્થાનકે અનંતાનુબંધિ અનંતાનુબંધિ-અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય-અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય-અનંતાનુબંધિ સંજ્વલન એમ ચારે કષાયો હોય છે. તેમાં પહેલા બે કષાયથી જીવો સન્ની પર્યાપ્તા તિર્યંચનું આયુષ્ય બાંધી શકે છે અને છેલ્લા બે કષાયોથી જીવો મનુષ્યનું આયુષ્ય બાંધી શકે છે. આ જીવો પણ મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય જે બાંધે છે તે મધ્યમ આયુષ્યથી શરૂ કરી પૂર્વક્રોડ વરસનું આયુષ્ય બાંધી શકે છે. આથી વધારે આયુષ્ય બંધાતું નથી. નવમા દેવલોકથી નવ ત્રૈવેયક સુધીનાં દેવોને પહેલા ગુણસ્થાનકમાં આ ચારેય કષાયો હોય છે અને એ ચારે કપાયોથી એ જીવો નિયમા મનુષ્ય આયુષ્યનો બંધ કરે છે. તેમાં પહેલા બે કપાયોથી જે મનુષ્યનું આયુષ્ય બંધાય છે તે અનાર્ય ક્ષેત્રનું અથવા આર્ય ક્ષેત્રમાં ધર્મ સામગ્રીની પ્રાપ્તિ ન થાય એવા ક્ષેત્રોનું આયુષ્ય પ્રાયઃ બાંધી શકે છે. જ્યારે છેલ્લા બે કપાયોથી આયુષ્ય જે બંધાય તેમાં આર્ય દેશાદિ, ક્ષેત્રાદિ અને ધર્મ સામગ્રીની પ્રાપ્તિ આદિ અનુકૂળ સામગ્રી પૂર્વકનું મનુષ્ય આયુષ્ય બાંધી શકે છે. પાંચ અનુત્તરવાસી દેવો. આ દેવોને નિયમા ચોથું ગુણસ્થાનક જ હોય છે. એટલે આ દેવો નિયમા સમકીતી હોય છે. આ કારણથી આ જીવોને અપ્રત્યાખ્યાનીય કષાયનો જ ઉદય હોય છે. પ્રાય: કરીને આ દેવોને અપ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય અને અપ્રત્યાખ્યાનીય-સંજ્વલન Page 69 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy