SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં સુધી જીવોને સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા દેતા નથી અને પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વને, આ કષાય ઉદયમાં આવે તો તેનો નાશ કરે છે. આ કષાયની સ્થિતિ માવજજીવ સુધી કહેલી છે. એટલે કે જીવ પુરૂષાર્થ કરીને સમ્યત્વ ન પામે તેટલા કાળ સુધી આ કષાય ઉદયમાં રહ્યા જ કરે છે. ૨. અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદય કાળમાં જીવોને દેશવિરતિપણું પ્રાપ્ત થતું નથી. અને પ્રાપ્ત થયેલા દેશવિરતિના કાળમાં આ કષાયનો ઉદય થાય તો તેનો નાશ કરે છે. એટલે કે લીધેલા વ્રત, નિયમ પચ્ચખાણને પણ આ કષાય તોડી નંખાવીને તેનો નાશ કરવામાં સહાયભૂત થાય છે. આ કષાય જીવને પેદા થયા પછી વધારેમાં વધારે બાર મહિના સુધી ટકે છે પછી જીવ સાવધ ન રહે તો અનંતાનુબંધી કષાયા થાય અથવા પ્રત્યાખ્યાનીય કે સંજ્વલન કષાય પેદા થાય. ૩. પ્રત્યાખ્યાનીય કષાય - આ કષાયના ઉદય કાળમાં જીવોને નાનામાં નાના પચ્ચકખાણ આદિથી શરૂ કરીને શ્રાવકને યોગ્ય બાર વ્રત આદિ પચ્ચકખાણ પેદા થવા દે છે. પણ સર્વ વિરતિના પચ્ચકખાણ પેદા થવા દેતાં નથી. અને કદાચ કોઇ જીવોને સર્વવિરતિના પચ્ચખાણ પેદા થયેલા હોય તો આ કષાય ઉદયમાં આવીને તેનો નાશ કરાવે છે. આ કષાયનો ઉદય કાળ વધારેમાં વધારે ચાર મહિના સુધી હોય છે. ૪. સંજ્વલન કષાય - આ કષાયના ઉદય કાળમાં જીવોને સર્વવિરતિના પચ્ચકખાણ કરાવે છે અને જીવ તે કષાયની સહાય લઇને નિરતિચારપણે ચારિત્ર પાળી શકે છે. પણ વીતરાગ દશાને પ્રાપ્ત થવા દેતા નથી અને વીતરાગ દશાને પ્રાપ્ત થયેલ જીવોને ઉદયમાં આવીને વીતરાગ દશાનો નાશ કરે છે. એટલે કે કોઇ જીવ પુરૂષાર્થ કરીને સંજ્વલન કષાયને દબાવતો દબાવતો એટલે ઉપશમ કરીને અગ્યારમા, ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાં વીતરાગ દશાનો અનુભવ કરે અને એ અનુભવનો કાળ એક અંતર્મુહૂર્તનો પૂર્ણ થતાં દબાવેલા સંજ્વલન લોભના પગલો ઉદયમાં આવે છે અને તે ઉદયમાં આવીને જીવના વીતરાગ દશાના ગુણને નાશ કરે છે. આ કષાયનો સ્થિતિકાળ જ્ઞાની ભગવંતોએ પંદર દિવસ કહેલો છે એટલે કે આ કષાય પંદર દિવસથી અધિક રહેતો નથી. આ કષાયોનાં પરિણામથી જીવો આયુષ્યનો બંધ કરી શકે છે. માટે આયુષ્ય બંધના પરિણામોને જણાવવા આ કષાયો જે સોળ કહ્યા તેના ચોસઠ ભેદ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે જે ગુણસ્થાનકમાં જીવોને પરિણામની તરતમતાના કારણે ચારે પ્રકારના આયુષ્યમાંથી કોઇને કોઇ આયુષ્યનો બંધ કરી શકે એવી યોગ્યતા હોય તે જીવોની અપેક્ષાએ અહીં આ કષાયોના ભેદોનું વર્ણન કરેલ છે. તે ચોસઠ ભેદો આ પ્રમાણે જાણવા. અનંતાનુબંધિ – અનંતાનુબંધિ ક્રોધ - માન – માયા - લોભ. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા - લોભ. અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા લોભ. અનંતાનુબંધિ સંજ્વલન ક્રોધ - માન – માયા-લોભ. અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ ક્રોધ - માન - માયા લોભ. અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય ક્રોધ - માન – માયા-લોભ. અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા- લોભ. અપ્રત્યાખ્યાનીય સંવલન ક્રોધ - માન - માયા-લોભ. પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ ક્રોધ - માન - માયા-લોભ. પ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા-લોભ, Page 53 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy