SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તે સમ્યક્ત્વ મોહનીય કર્મ કહેવાય છે. આ સમ્યક્ત્વ મોહનીયનો ઉદય ક્ષયોપશમ સમકીતી જીવોને હોય છે. ઉપશમ સમકીતી જીવોને આ પ્રકૃતિનો ઉપશમ હોય છે અને ક્ષાયિક સમકીતિ જીવોને આ પ્રકૃતિનો સર્વથા ક્ષય થયેલો હોય છે. આ પ્રકૃતિના ઉદયથી જીવ સાવધગિરિ રાખે છે. માટે શ્રદ્ધા ટકાવીને પરિણામની ધારા તેમાં સ્થિર થતી જાય છે. પણ આ કર્મની સહાયથી તે શ્રદ્ધા રહેતી હોવાથી પોતાનો જે સ્વભાવ રૂપ ગુણ છે તે પેદા થવા દેતી નથી. માટે આને પણ પરિહરવાનું કહેલ છે. એટલે કે એનો ત્યાગ કરવાનું જ જ્ઞાની ભગવંતોએ કહેલ છે. આ પ્રકૃતિનો ઉદય જીવોને જઘન્યથી એક અંતર્મુહર્ત સુધો હોય છે અને ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમ સુધી રહી શકે છે. કોઇ જીવ ક્ષયોપશમ સમકીત પામ્યા પછી આયુષ્ય બાંધીને બારમા દેવલોકે બાવીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ થાય ત્યાંથી ચ્યવી મનુષ્યપણું સમકીત સાથે પામી ત્યાં દેશવિરતિ કે સર્વ વિરતિના પરિણામને પામે એટલે કે પાંચમા કે છઠ્ઠા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાંથી પાછો ચોથે આવી. ફ્રીથી બાવીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ થાય. ત્યાંથી સમકીત સાથે મનુષ્ય થાય ત્યાં ફ્રીથી દેશવિરતિ કે સર્વવિરતિના પરિણામ પ્રાપ્ત કરે ત્યાંથી ત્રીજી વાર બાવીશ સાગરોપમના આયુષ્યવાળો દેવા થાય. આ રીતે ૨૨ X ૩ = ૬૬ સાગરોપમ તથા વચલા મનુષ્ય ભવ અધિક કાળ સુધી આ સમ્યકત્વ મોહનીયનો ઉદય રહી શકે છે. જે એટલા કાળમાં જીવ મોક્ષને ન પામે તો એક અં તે મિશ્રમોહનીયનો ઉદય પ્રાપ્ત કરી ફ્રીથી સમ્યકત્વ મોહનીયનો ઉધ્ય પેદા કરી ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરે અને છાસઠ સાગરોપમ સુધી ટકાવી રાખે. આ રીતે એકસો બત્રીશ સાગરોપમ કાળ પૂર્ણ થતાં જીવ જો મોક્ષે ન જાય તો ત્યાર પછી અવશ્ય મિથ્યાત્વ મોહનીયનો ઉદય પ્રાપ્ત થાય છે. તે મિથ્યાત્વ મોહનીયનો ઉદય જઘન્યથી એક અંતર્મુહુર્ત માટે પણ હોઇ શકે છે અને વધારેમાં વધારે અર્ધપુગલ પરાવર્ત કાળ સુધી પણ રહી શકે છે. - સમ્યકત્વ મોહનીયનો નાશ કરવા માટે સૌથી પહેલા અનંતાનુબંધિ ચાર કષાયોનો નાશ કરવો પડે. મિથ્યાત્વ મોહનીયનો નાશ કરવો પડે. એના પછી મિશ્રમોહનીયનો નાશ કરવો પડે. એના પછી સમ્યકત્વ મોહનીયનો નાશ થાય. કેટલાક જીવો અનંતાનુબંધિનો નાશ કરીને પછી તાકાત નથી હોતી તો. અટકી જાય છે અને ક્રીથી અનંતાનુબંધિ ચાર કષાયોનો બંધ કરીને સત્તા પ્રાપ્ત કરી શકે છે. કારણ કે અનંતાનુબંધિ ચાર કષાયોનો બાપ મિથ્યાત્વ મોહનીય સત્તામાં હોય છે. એ મિથ્યાત્વ મોહનીય રૂપ બાપનો નાશ થાય એટલે મિશ્રમોહનીય અને સમ્યકત્વ મોહનીય નાશ પામે પછી જીવ ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરી શકે. આ ક્ષાયિક સમકીત પામીને નરકમાં ગયેલા અત્યારે ત્યાં વિધમાન જીવો આવા અસંખ્યાતા હોય છે. પંચેન્દ્રિય તિર્યંચ યુગલિક તિર્યચોમાં ક્ષાયિક સમકીત લઇને થયેલા વર્તમાનમાં ત્યાં અસંખ્યાતા રહેલા. હોય છે. એ જ રીતે વૈમાનિક દેવલોકમાં રહેલા ક્ષાયિક સમકીતી જીવો અસંખ્યાતા છે. જ્યારે મનુષ્યોમાં ક્ષાયિક સમજીતી જીવો નિયમાં સંખ્યાતા હોય છે. કારણ કે ગર્ભજ મનુષ્યો જ જગતમાં સંખ્યાતા હોય છે. ચારિત્ર મોહનીય કર્મનું વર્ણન ચારિત્ર મોહનીય એટલે જીવો પોતાના જીવનમાં જે સતક્રિયા કે અસક્રિયા એટલે કે સારી ક્રિયા, શુભ ક્રિયા કે અશુભ ક્રિયા જે કરી રહેલા હોય છે તે ક્રિયા કરવામાં પરિણામની તરતમતા રહેવી, એ પરિણામની ધારામાં મુંઝવણ પેદા કરાવે તે ચારિત્ર મોહનીય કર્મ કહેવાય છે. તેના મુખ્ય બે ભેદ છે. (૧) કષાય મોહનીય, (૨) નોકષાય મોહનીય. અને ચારિત્ર મોહનીયની જે Page 51 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy