SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિકોણ આકૃતિવાળો અને લાંબી આકૃતિવાળો એમ પાંચ આકૃતિવાળો હોય છે. આ રીતે ૨ + ૫ + ૮ + ૫ = કાળા વર્ણના ૨૦ ભેદ થયા. એજ રીતે નીલ વર્ણના ૨૦ ભેદ, લાલ વર્ણના ૨૦ ભેદ, પીળા વર્ણના ૨૦ ભેદ અને સફેદ વર્ણના ૨૦ ભેદ થતાં ૨૦ X ૫ = ૧૦૦ ભેદ વર્ણના થાય છે. ગંધ નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવના શરીરને વિષે ગંધ પેદા થાય, સુરભિગંધ અને દુરભિગંધ પેદા થાય તે ગંધ નામકર્મ કહેવાય છે. ગુણ, તે સુરભિગંધ અને દુરભિગંધ એક ગુણ, ત્રણ ગુણ, સંખ્યાત ગુણ, અસંખ્યાત ગુણ અને અનંત ગુણ । ભેદવાળી ગંધ હોય છે. માટે તેના અનંતા ભેદો થાય છે. સામાન્યથી સ્કૂલ દ્રષ્ટિથી ઓળખવા માટે તેના ૪૬ ભેદો થાય છે તે આ પ્રમાણે : સુરભિગંધ :- કાળો વર્ણ, નીલ વર્ણ, લાલ વર્ણ, પીતવર્ણ, અને સફેદ વર્ણવાળી એમ પાંચ વર્ણવાળી : હોય. સુરભિગંધ :- કડવો રસ, તીખો, તુરો, ખાટો અને મીઠો એમ પાંચ રસવાળી પણ હોય. સુરભિગંધ :- ગુરૂ-લઘુ-શીત-ઉષ્ણ, મૃદુ-કર્કશ અને સ્નિગ્ધ-રૂક્ષ એમ આઠ સ્પર્શવાળી પણ હોય. સુરભિગંધ-ગોળ-વલયાકાર-ચોરસ-ત્રિકોણ અને લંબ એમ પાંચ સંસ્થાનવાળી પણ હોય આથી ૫ + ૫ + ૮ + ૫ = ૨૩ ભેદ સુરભિ ગંધના થાય. એજ રીતે દુરભિગંધના ૨૩ ભેદ કરતાં ૪૬ ભેદ ગંધ નામકર્મના થાય છે. રસ નામકર્મ :- દરેક જીવોનું શરીર કડવો, તીખો, તુરો, ખાટો અને મીઠો એ પાંચ રસમાંથી કોઇને કોઇ રસવાળું પ્રાપ્ત થાય છે તે રસ નામકર્મ. એકેન્દ્રિય જીવોમાં, વનસ્પતિમાં આ દરેક રસવાળી વનસ્પતિઓ વર્તમાનમાં દેખાય છે. કોઇ વનસ્પતિ તુરા રસવાળી, કોઇ વનસ્પતિ કડવા રસવાળી, કોઇ વનસ્પતિ તોખા રસવાળી, કોઇ વનસ્પતિ ખાટા રસવાળી અને કોઇ વનસ્પતિ મીઠા રસવાળી હોય છે. તે જે રસ પેદા થાય છે તે આ રસ નામકર્મના ઉદયથી તેમાં એક ગુણ રસ, બે ગુણ અધિક રસ, ત્રણ ગુણ અધિક રસ, યાવત્ સંખ્યાત ગુણ અધિક રસ, અસંખ્યાત ગુણ અધિક રસ, યાવત્ અનંત ગુણ । અધિક રસવાળી પણ હોય છે. એમ દરેક જીવોના શરીરમાં પણ કોઇને કોઇ રસ તરતમતા રૂપે રહેલા હોય છે. આ પાંચે રસના પણ ૧૦૦ ભેદો થાય છે તે આ પ્રમાણે. કડવો રસ-કાલો-નીલો-લાલ-પીળો અને સફેદ પાંચે વર્ણમાંથી કોઇને કોઇ વર્ણમાં રહેલો હોય. સુગંધ અને દુર્ગંધ એમ બે ગંધમાંથી કોઇ ગંધવાળો પણ હોય. ગુરૂલઘુ, શીત-ઉષ્ણ, મૃદુ-કર્કશ, સ્નિગ્ધ અને રૂક્ષ એ આઠ સ્પર્શમાંથી કોઇને કોઇ સ્પર્શવાળો પણ કડવો રસ હોય છે. અને ગોળ-વલયાકાર-ચોરસ-ત્રિકોણ અને લંબ એ પાંચ આકૃતિમાંથી કોઇને કોઇ આકૃતિવાળો કડવો રસ હોય છે. આથી ૫ + ૨ + ૮ + ૫ = ૨૦ ભેદ કડવા રસના થાય છે. આ રીતે તીખા રસના - તુરા રસના - ખાટા રસના અને મીઠા રસના વીશ વીશ ભેદો ગણતાં ૨૦ X ૫ = ૧૦૦ ભેદ થાય છે. આ રીતે રસ નામકર્મ થયું. તેમાં કડવો અને તીખો રસ અશુભ ગણાય છે. તુરો, ખાટો અને મીઠો રસ શુભ ગણાય છે. એવી રીતે ગંધમાં સુરભિગંધ એટલે સુગંધ શુભ ગણાય છે અને દુર્ગંધ અશુભ ગણાય છે. આ વર્ણ ગંધ રસના એક બીજાના મીલનથી અનેક ભેદો પેદા થઇ શકે છે. સ્પર્શ નામકર્મ :- આ નામકર્મના આઠ ભેદો છે. જીવોના શરીરને વિષે ગુરૂ આદિ સ્પર્શ જે પેદા થાય Page 111 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy