SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ દુર્ભગ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ૧૧૧ દુસ્વર ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ૧૧૨ અનાદેય ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ૧૧૩ અયશ મિથ્યાત્વથી સમ્યકત્વાભિમુખ થયેલા ૧૧૪ ઉચ્ચગોત્ર ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ૧૧૫ નીચગોત્ર ૭મી નારીના જીવો સમ્યક્તાભિમુખ થયેલા ૧૧૬ દાનાંતરાય ક્ષપકશ્રેણીમાં દશમા ગુણસ્થાનક્તા અંતે ૧૧૭ લાભાંતરાય ક્ષપકશ્રેણીમાં દશમા ગુણસ્થાનક્ના અંતે ૧૧૮ ભોગાંતરાય ક્ષપકશ્રેણીમાં દશમાં ગુણસ્થાનક્તા અંતે ૧૧૯ ઉપભોગાંતરાય ક્ષપકશ્રેણીમાં દશમાં ગુણસ્થાનના અંતે ૧૨૦ વર્યાતરાય ક્ષપકશ્રેણીમાં દશમાં ગુણસ્થાનક્તા અંતે પ્રદેશ બંધ અધિકાર જે જે કર્મોના જેટલા જેટલા દલીયા ગયા હોય તેમાં જે જે કર્મોનાં સર્વઘાતી પ્રવૃતિઓમાં બંધાતા હોય તો તે કર્મનાં દલીયાંનો અનંતમા ભાગ સર્વઘાતી પ્રકૃતિઓને મળે છે. શાથી? પોતપોતાના મૂળ પ્રકૃતિઓનાં અતિ નિગ્ધતા વાળાં પુદગલો પોતાના અનંતમા ભાગ જેટલાજ હોવાથી અને સર્વઘાતી પ્રકૃતિઓને યોગ્ય હોવાથી તેને મલે છે. જેમકે જ્ઞાનાવરણીયકર્મની પાંચ પ્રકૃતિઓ છે. તેમાં એકજ સર્વઘાતી પ્રકૃતિ છે. કેવલ જ્ઞાનાવરણીય. તો તેને કર્મના દલીયાનો અનંતમો ભાગ આપે છે અને બાકી જ દલીયાં રહતા તેના ચાર ભાગ પાડીને બાકીની ચાર પ્રકૃતિઓને વહેંચે છે. દર્શનાવરણીય કર્મનાં મળેલા દલીકોનો અનંતમો ભાગ સર્વઘાતી પ્રકૃતિઓને આપે છે. દર્શનાવરણીય કર્મમાં સર્વઘાતીની છ પ્રકૃતિઓ છે. તો તે અનંતમા ભાગના દલીયાનાં છ ભાગ કરે છે. અને છને આપે છે. બાકીનાં જે દલીયાં રહ્યા તેનાં ત્રણ ભાગ કરીને ત્રણેય પ્રકૃતિઓને વહેંચાય છે. ૩ વદળીય કર્મ વેદનીય કર્મમાં અંતર્મુહૂર્ત સુધી એક જ પ્રકૃતિ બંધાય છે. તો જે સમયે જે બંધાતી હોય તેના ભાગના આવેલાં બધાં દલીયા તે રૂપે જ રહે છે. શાતા બંધાય ત્યારે શાતા રૂપે અને અશાતા બંધાય ત્યારે અશાતા રૂપે તે દલીયા થઇ જાય છે. મોહનીય કર્મમાં જે મળેલા દલીકો હોય તેનો અનંતમો ભાગ સર્વઘાતી પ્રકૃતિઓને આપે છે. તે સર્વઘાતી પ્રકૃતિઓને મળેલા દલીયાનાં બે ભાગ પડે છે. તેમાંનો એક ભાગ દર્શન મોહનીય ને આપે છે. અને બીજો ભાગ ચારિત્ર મોહનીયને આપે છે. દર્શન મોહનીયને મળેલાં દલીયા તે બધા મિથ્યાત્વ મોહનીયને જ જાય છે. કારણકે દર્શન મોહનીયની એજ્જ મિથ્યાત્વ પ્રકૃતિ બંધમાં હોય છે. ચારિત્રમોહનીયને મળેલા દલીયાંનો જે ભાગ તેના બાર ભાગ કરે છે. અને બાર સર્વઘાતી પ્રકૃતિઓન આપે છે. હવે બાકી રહેલા અનંતમાં ભાગ સિવાયનાં શેષ દલીયા તેના બે ભાગ કરે છે. અને એક કષાય મોહનીયને અને બીજો નોકષાય મોહનીયને આપે છે. હવે જે કષાય મોહનીયને મળેલા દલીયાં તેના ચાર ભાગ કરે છે. બાકીના બંધાતા ચાર કષાયોને આપે છે. અને નોકષાય મોહનીયનાં દલીયાં પાંચ ભાગ કરીને બંધાતી પાંચ પ્રકૃતિને આપે છે. Page 297 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy