SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ- ૩ આ પ્રમાણે આપણે ટીકાકાર પરમર્ષિ અને કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શબ્દોમાં સંસારની દુઃખમયતા જોઇ આવ્યા અને સુત્રકારપરમર્ષિ સંસારવર્તિ પ્રાણીઓના કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરતાં શું શું ફરમાવે છે એ હવે પછીઅંધતા અને અંધકાર : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજાએ, સંસારવર્તિ પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી __ "तं सुणेह जहा तहां' તે યથાવસ્થિત કર્મવિપાકને યથાસ્તિતપણેજ આવેદન કરતા મને હે ભવ્યો ! તમે સાંભળો.’ આ પ્રમાણે ફરમાવીને પુનઃ પણ કર્મવિપાકની ગરિષ્ઠતાનું જે પ્રતિપાદન કર્યું છે તે અને તેની વ્યાખ્યા કરવા પૂર્વે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, સંસારની ચારેય ગતિઓની દુઃખમયતા વર્ણવી એ આપણે જોઇ આવ્યા. ચારે ગતિના જીવોની દુઃખદ દશાનું વર્ણન કર્યા બાદ “d જુનેહ હિીં તહી' પછીના બીજા સૂત્રાવયવોની અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે ___ “तदेवं चतुर्गतिपतिताः संसारिणो नानारूपं कर्मविपाकमनुभवन्तीत्येतदेव सूत्रेण दर्शयताहे" સંસારવર્તિ પ્રાણીઓ, ચાર ગતિઓમાં પરિભ્રમણ કરતા અનેક પ્રકારની વેદનાઓનો અનુભવ કરે છે. તે કારણથી ઉપર વર્ણવી ગયા તે પ્રમાણે કર્મની વિવશતાથી ચાર ગતિમાં પડેલા સંસારી પ્રાણીઓ નાના પ્રકારના કર્મવિપાકને અનુભવે છે. એ પ્રમાણે એજ વસ્તુને સૂત્રકાર પરમર્ષિ, સૂત્રદ્વારા દર્શાવવા માટે ફરમાવે “संति पाणा अंधा तमसि वियाहियो' Page 218 of 24
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy