SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને તે દશ ભવ, સો ભવ, હજાર ભવ વગેરે બાંધતો બાંધતો પોતાના ભવોની પરંપરા પણ વધારતો જાય છે. પોતાના બંગલામાં બાથ કે વાવડી વગેરે કરેલ હોય તેને જ જોઇને આનંદ પામતો હોય તેમાં વારંવાર પડ્યા રહેવાનું મન થતું હોય તો કદાચ મરીને ત્યાં તેજ પાણી રૂપે પણ ઉત્પન્ન થઇ શકે છે એમ જ્ઞાની ભગવંતો કહે છે અને જોરદાર આસક્તિ કરીને ગયેલા હશે તો અનુબંધથી અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપિણી સુધી જન્મ મરણ કર્યા કરશે જો અપૂકાયમાં જવાની ભાવના ન હોય તો સાવચેત થવા જેવું છે. દેવતાઓ દેવલોકમાં રહેલા છે તે ઓ માંથી જે ઓને આખો દિવસ વાવડીઓ માં પડ્યા રહેવાનું મન થતું હોય અને પડ્યા રહેતા હોય તે દેવો તેમાં અત્યંત આસક્તિના કારણે ત્યાંથી ચ્યવીને તેજ વાવડીના પાણીમાં અપૂકાય રૂપે ઉત્પન્ન થઇ શકે છે. જો આવા જીવો ત્યાં ઉત્પન્ન થઈ શકે તો આપણે કેટલા સાવચેત બનવું પડે એનો ખ્યાલ કરવા જેવો છે. માટે આગળના કાળમાં ઘરડાઓ ભગવાનની સેવા પૂજા કરવા ઘરેથી જાય તો જેમ દૂધની લોટીમાં દૂધ લઇને જતા હતા તેમ ત્યાં પગ ધોવા માટે લોટીમાં પાણી લઇને જતા હતા. મંદિર પાસે પથ્થર પડ્યો હોય ત્યાં પથ્થર ઉપર ઉભા રહી નીચા નમીને પથ્થર ઉપર થોડું પાણી નાંખી પગના તળીયા ઘસી નાખતા હતા અને પગ ચોખા થઈ જતા હતા. આ જયણાનો ઉપયોગ રહેતો હતો. જયારે આજે ? શું સ્થિતિ છે ? માટે વિચાર કરવા જેવો છે. આજના વિજ્ઞાનીઓએ પાણીના એક ટીપામાં છત્રીસ હજાર ચારસોને પીસ્તાલીશ જીવો જે જોયા છે તે હાલતા ચાલતા ટોસ જીવો ગણાય છે પણ અપૂકાય રૂપે પાણી રૂપે રહેલા નહિ. એ તો અસંખ્યાતા, કેવલી ભગવંતોએ જોયેલા છે. તરસ લાગે તો સહન કરવી. ન સહન થાય એવું લાગે તોજ પાણીનો ઉપયોગ કરવો પડે માટે કરવો એ પણ જરૂરીયાત પૂરતો બીન જરૂરી તો નહિ જ. કાચા પાણીમાં સમયે સમયે અસંખ્યાતા જીવો ચ્યવે છે અને ઉત્પન્ન થાય છે માટે મારાપણાની બુધ્ધિ જે પાણીમાં રહેલી હોય તે પાણીમાં જેટલા જીવોની હિંસા થાય તે બધુંય પાપ લાગ્યા કરે છે. પ્રશ્ન :- આટલા જીવોની હિંસા થયા જ કરે છે તો પાણી ઉકાળવામાં આવે તો તે જીવો ગરમ થઇને મરી જાય તો પાણી ગરમ કરનારને અને ઉપયોગ કરનારને પાપ લાગે કે નહિ ? ઉ. :- તમારી વાત સાચી છે. કાચા પાણીમાં રહેલા જે જીવો છે તે પાણી ઉકાળવાથી જરૂર મરી જાય છે પણ તમો સંસારમાં બેઠેલા છો એટલે અવિરતિમાં બેઠેલા છો માટે હિંસાનું પાપ લાગ્યા જ કરે છે. પણ જ્ઞાની ભગવંતો એ કહ્યું કે હિંસામાં બેઠેલો જીવ જેમ બને તેમ ઓછી હિંસા કરીને જીવન કેમ જીવાય એવું લક્ષ્ય જો રાખે તો જે પ્રવૃત્તિ કરતાં અને જીવન ઉપયોગી ચીજો નો ઉપયોગ કરતાં ઓછી હિંસાથી જીવાતું હોય તો ગૃહસ્થ એ વહેલાં એટલે પહેલાં પસંદ Page 21 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy