SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વારાંગનાઓ પણ જગતને ઠગે છે. પત્નીઓ પતિઓને અને પતિ પત્નીઓને, પિતા પુત્રોના અને પુત્રો પિતાને, ભાઇ ભાઇને અને મિત્રો મિત્રોને માયાથી પરસ્પરને ઠગનારા બની જાય છે. અર્થના લોભી લોકો અને ચોર આદિ લોકો માયા આચરવામાં સદા જાગૃત રહે છે અને અહર્નિશ જાગૃત એવા તે લોકો પ્રસંગ મળ્યું પ્રમાદી લોકોને ઠગ્યા વિના રહેતા નથી. પોતાના પાપળને ભોગવતા અધમ આત્માઓ અનેક રીતિએ સારા લોકોને ઠગે છે. વ્યન્તર આદિ કુયોનિમાં રહેલા દેવો પણ પ્રમાદી એવા માણસોને ક્રૂર બન્યા થકા બહુ પ્રકારનાં છલો દ્વારા ઘણી ઘણી પીડાઓ કરે છે. મત્સ્ય આદિ જલચર જીવો કપટથી પોતાનાં બચ્ચાઓનું પણ ભક્ષણ કરે છે અને તેઓ પણ માયાવી એવા મછીમારોથી બન્ધાય છે. શિકારીઓ પણ નાના પ્રકારના ઉપાયોથી સ્થલચર જીવોને અનેક આપત્તિઓ આપે છે. પક્ષિઓ પણ પરસ્પર માયાના ઉપાયથી અનેક જાતિનાં પાપોને આચરે છે. આ રીતિએ પારકાને ઠગવામાં તત્પર એવા જીવો આખાએ લોકમાં વ્યાપેલા હોય છે; અને તેઓ, પોતાના ધર્મનો અને પોતાની સદગતિનો નાશ કરી પોતે જ ઠગાય છે. પ્રીતિ અને ઉદ્વેગના કરણ રૂપઃ આ સઘળોય પ્રપંચ માયાનો છે. આ માયાના નાશ વિના, સુસાધુધર્મની આરાધના શક્યા થી. આમાયાના નાશ માટે હજુતા જ સાચો ઉપાય છે. સરલતા રૂપ સાચા ઉપાયના આસેવન વિના માયા મરવાની નથી અને એ વિના સુસાધુધર્મ આરાધાવાનો નથી. આ કારણે, સુસાધુધર્મને આરાધવા માટે માયાને મારનાર આ બજુતાનો સ્વીકાર કરી, હજુ બનવાની ઘણી જ અગત્ય છે. માયા, એ જગતનો દ્રોહ કરનારી હોવાથી વિષધરીના જેવી છે. માયા રૂપ વિષધરીથી ડસાયેલા આત્માઓ, જંગમ લોક ઉપર અપકાર કરવાની વૃત્તિથી ભરેલા હોય છે. એવા આત્માઓ સુસાધુધર્મની આરાધના કરવાને અયોગ્ય છે. સુસાધુધર્મની આરાધના કરવા ઇચ્છતા આત્માઓએ માયા-વિષધરીને જીતવી જ જોઇએ. એને જીતવાને માટે આર્જવ એ મહોષધિ છે અને એ જગતને આનન્દ આપનાર છે. આ આર્જવગુણને આત્મસાત્ કરી હજુભાવને ધરવો, એ આ સુસાધુધર્મને આરાધવા ઇચ્છનારાઓ માટે અતિશય જરૂરી છે. અનંત ઉપકારી પરમર્ષિઓ માને છે કે-સરલતા એ મુક્તિપુરીનો સરલ પંથ છે : બાકીનો સઘળોય આચારવિસ્તાર એનીસાધનાને માટે જ છે. અન્યો પણ કહે છે કે- “સઘળુંય કપટ એ મૃત્યુનું પદ છે અને આર્જવ એ બ્રહ્મનું પદ છે : જ્ઞાનના વિષય પણ ખરો આ છે. બાકીના પ્રલાપનો અર્થ શો છે ?” ખરેખર, સરલતાના સ્વામિઓ લોકમાં પણ પ્રીતિનું કારણ થાય છે. કુટિલ માણસોથી તો જીવો સર્પથી જેમ ઉદ્વેગને પામે છે, એ જ રીતિએ ઉદ્વેગને પામે છે. કપટથી રહિત છે ચિત્તવૃત્તિ જેઓની એવા મહાત્માઓને, તેઓ ભવવાસને સ્પર્શનારા હોવા છતાં પણ, મુક્તિસુખ એ સ્વસંવેધ બની જાય છે. જ્યારે, જેઓ કુટિલતાથી કિલષ્ટ મનના માલિક બન્યા છે, તેઓ પરના વ્યાપાદનમાં જ રક્ત હોય છે, એટલે તેઓને તો સ્વપ્રમાં પણ સુખ ક્યાંથી થાય ? જ્ઞાનિનેય સરલતા સરલ નથી - સમગ્ર વિધાઓમાં વૈદુષ્ય પામવા છતાં અને કલાઓને જાણ્યા છતાં, એવા ધન્ય આત્માઓ. તો થોડા જ હોય છે, કે જેઓને બાળકોના જેવું સરલપણું મળ્યું હોય ! વિદ્વત્તા અને કલાવેદિતા મળવી સરલ છે, પણ સરલતા મળવી એ સરલ નથી. વિદ્વત્તા અને કલાવેદિતા સાથે સરલતાની Page 74 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy