SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ જે આ પગથીઆની બંને બાજુ બે પ્રકાશમય પંક્તિઓ છે, તે બે પ્રકારની ગુણશ્રેણીને સૂચવે છે. એક શ્રેણીનું નામ ઉપશમશ્રેણી છે. અને બીજીનું નામ ક્ષપકશ્રેણી છે. જ્યારે આ અપૂર્વકરણ સોપાનમાં જીવ આરોહણ કરે છે. ત્યારે તે સમયે અપૂર્વકરણના પ્રથમ અંશથીજ જે ઉપશમક હોય તે ઉપશમાં શ્રેણીએ ચડે છે અને જે ક્ષેપક હોય તે ક્ષપકશ્રેણીએ ચડે છે. મુમુક્ષએ શંકા લાવી પ્રશ્ન કર્યો - “ભગવન, ઉપશમક કોણ કહેવાય ? અને તેની યોગ્યતા કેવી રીતે થાય ? તે કૃપા કરી સમજાવો.” આનંદ મુનિએ ઉત્તર આપ્યો. “વત્સ, સાંભળ, જે ઉપશમક મુનિ શુક્લ ધ્યાનના પ્રથમ પાયાનું ધ્યાન કરે છે, તે ઉપશમક કહેવાય છે અને તે ઉપશમશ્રેણીને અંગિકાર કરે છે. જે મુનિ પૂર્વગત મૃતના ધારણ કરનારા, નિરતિચાર ચારિત્રવાળા અને પ્રથમના ત્રણ સંતાનનથી યુક્ત એવા મુનિ ઉપશમ શ્રેણીને પ્રાપ્ત કરે છે. તે ઉપશમ શ્રેણીવાળા મુનિ જો અલ્પ આયુષ્યવાળા હોય તો કાળધર્મને પામ્યા પછી તેઓ પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે, પરંતુ જેમને પ્રથમ સંતનન હોય તેજ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. અને જે બીજા સંતનનવાલા હોય છે તે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થતા નથી. જેઓ સેવાર્ત સંહનનવાળા હોય છે, તેઓ ચોથા મહેંદ્ર દેવલોક સુધી જઇ શકે છે. એટલે ત્યાં સુધી ઉત્પન્ન થાય છે. બાકીના કીલિકાદિ ચાર સંહનનવાલા બબે દેવલોક ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં ત્યાંસુધી ગમન કરી શકે છે. પ્રથમ સંહનનવાલા મોક્ષ સુધી ગમન કરી શકે છે, અને જેનું આયુષ્ય સાતલવ અધિક હોત તો તે અવશ્ય મોક્ષે જાત, તેજ સ્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે.” મુમુક્ષુ પ્રસન્ન થઇને બોલ્યો- “ભગવદ્, આપની વાણીએ મારા હૃદયની શંકા પરાસ્ત કરી છે, હવે ક્ષપકશ્રેણીનું સ્વરૂપ કહેવાની કૃપા કરો.” મુનિવર્ય મગ્ન થઇને બોલ્યા- “વત્સ, ચરમશરીરી એટલે જેનું છેલ્લું શરીર છે, અને જેણે આયુષ્ય બાંધેલ નથી એવા અલ્પ કર્મી ક્ષેપકમુનિને ચોથા ગુણસ્થાનમાં નરકાયુનો ક્ષય થઇ જવાથી અને પાંચમા ગુણસ્થાનમાં તિર્યંચના આયુષ્યના ક્ષય થઇ જવાથી તેને સાતમાં ગુણસ્થાનમાં દેવાયુનો ક્ષય થઇ જાય છે, તે સાથે દર્શન મોહના સપ્તકનો પણ ક્ષય થઇ જાય છે. ત્યાર પછી તે પુકમુનિને એકસો આડત્રીસ કર્મપ્રકૃતિની સત્તા રહે છે, ત્યારે તે આઠમાં ગુણસ્થાનના પગથીઆપર ચડે છે. આ સ્થાન ઉપર ઉત્કૃષ્ટ રૂપાતીત નામના ધર્મધ્યાનનું તે વારંવાર સેવન કરતાં અભ્યાસરૂપ થઇ જાય છે, તેથી તેને અહિં તત્ત્વ પ્રાપ્તિ થાય છે. વત્સ, આ આઠમાં સોપાન ઉપર આવેલો આત્મા-જીવ પૃથકત્વ વિતર્ક સપ્રવિચાર નામના શુક્લ ધ્યાનના પ્રથમ પાયાનું ધ્યાન કરે છે, તેનું ધ્યાન કરનાર મુનિ વજનદષભનારાજ નામના પ્રથમ સંવનન યુક્ત હોય છે. જે સંવનન તેની આત્મિક ઉન્નતિમાં ઉપયોગી થઇ પડે છે.” મુમુક્ષએ પ્રશ્ન કર્યો – “ભગવદ્, આ સોપાન ઉપર યોગીંદ્ર ક્ષપક કેવી રીતે ધ્યાન કરે છે, તે કૃપા કરી કહો.” આનંદસૂરિ બોલ્યા- “ભદ્ર, આ સોપાન ઉપર રહેલ ક્ષેપક મુનિ વ્યવહાર અપેક્ષ્ય ધ્યાન કરવાને યોગ્ય થાય છે. તે નિબિડ હઠપર્યકાસન કરે છે. નીશ્ચલ આસન કરીને. કારણકે આસન જયજ ધ્યાનના પ્રથમ પ્રાણ છે. જે પર્યકાસન જંઘાના અધો ભાગમાં પગ ઉપર કરવાથી થાય છે. તેમ કેટલાએક સિદ્ધાસન પણ કરે છે. વળી આસનનો કાંઇ નિયમ નથી એમ પણ કહેલું છે. જે આસનથી. Page 175 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy