SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ અબ્રહ્મના નુક્શાન - અબ્રહાચારીને સહેજે કામપાત્રનું ખેંચાણ રહે છે, એટલા પ્રમાણમાં દેવગુરુની ભક્તિમાં વાંધો પડે છે. ધ્યાનમાં સ્કૂલના પડ છે. અબ્રહ્મચારીનું વીર્ય હણાય છે, ઇન્દ્રિયો નબળી પડે છે, ઓજસ હૃાસ પામે છે, પાપવૃત્તિ હૃદયમાં ઘર કરે છે. હિંસાદિરૂપ પાપો કરતાં અબ્રહ્મનું પાપ એટલા માટે ભયંકર છે કે હજી કારણવશાત રાગ વિના પણ હિંસાદિ થઇ જાય. પરંતુ અબ્રહ્મ તો રાગ વિનાનું સેવાતું જ નથી. એક વખતના અબ્રહ્મના સેવનમાં બે થી નવ લાખ ગર્ભ જ પંચેન્દ્રિય જીવોનો અને બીજા કેટલાક સંમૂરિચ્છમ જીવોનો નાશ થવાનું શાસ્ત્ર કહે છે. બ્રહ્મચર્ય પાલનનો ઉપાય - વિચારવું તો એ જોઇએ છે કે અબ્રહ્મ સેવવામાં શું આજ સુધીના અનંત ભવોમાં બાકી રાખ્યું છે ? એકજ દેવતાના ભવમાં કરોડો દેવીઓના ભોગ મળ છે, કેમ કે દેવીનું આયુષ્ય દેવની અપેક્ષાએ બહુ થોડું હોય છે. તે દેવીઓ પાછી કાળી કુબડી નહિ, પણ સદા યૌવનવયની, ગોરી ગુલાબી રૂપસુંદરીઓ હોય છે. એવા દેવના ભાવ પણ પૂર્વે અનંતા થઇ ગયા, તો કેટલી દેવીઓનો ભોગ થયો ? અનંત ! તો પણ હજુ તૃપ્તિ નથી થઇ. આટલા બધા અબ્રહ્મના સેવનથી જે તૃપ્તિ ન થઇ તે અહીંના અલ્પ કાળના તુચ્છ વિષયભોગથી થશે ? ના તૃપ્તિ નહિ, પણ અતૃપ્તિ વધશે. માટે જ જ્ઞાની માવે છે કે બ્રહ્મચર્યનું જ શરણ લો. જીવનભરના બ્રહ્મચારી બની સ્વ-પરને મંગળરૂપ બનો. બ્રહ્મચારી નવ ક્લિાની વચ્ચે વસે - બ્રહ્મચર્યના પાલન માટે ખાસ નવ વાડનું પાલન કરવાનું માવ્યું છે. દો.ત.પુરુષે (૧) સ્ત્રીવાળી વસ્તીમાં ન રહેવું.(૨) સ્ત્રીની કથા ન કરવી. (૩) સ્ત્રીનાં આસન પર ન બેસવું.(૪) સ્ત્રીના અંગોપાંગ ન નિરખવાં. (૫) ભીંતના આંતરે થતા સ્ત્રી-પુરુષના આલાપ-સંલાપ પણ સાંભળવા નહિ. (૬) પૂર્વે કરેલી ક્રીડાઓનું બિલકુલ સ્મરણ ન કરવું. (9) પ્રણીત એટલે ઘી-દૂધ વગેરેથી ઘચબચતો આહાર ન વાપરવો. (૮) | ખૂબ આહાર પણ ન વાપરવો. (૯) શરીરે શોભા-વિભૂષા કરવી નહિ. જંબુસ્વામી, સ્થૂળભદ્રસ્વામી, સુદર્શન શેઠ, વિજય શેઠ, વિજયા શેઠાણી વગેરેના દ્રષ્ટાન્તો આંખ આગળ રાખી વિશુદ્ધ બ્રહાચર્યના પાલનમાં સદા સાવધાન રહેવું. ભાષા વિશક્તિ સુખમય અને સલૂ જીવન જીવવા માટે જેમ મનઃશુદ્ધિ, અન્નશુદ્ધિ, ધનશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, શરીરશુદ્ધિ વગેરેની જરૂર છે, તેમ વચનશુદ્ધિની પણ જરૂર છે. જીવનવ્યવહાર માટે ઉપયોગમાં આવતા જેમ ધન અન્ન અને વસ્ત્રાદિ બાહ્ય પદાર્થ છે, તેમ વિવેક વિચાર અને વચનાદિ અંતરંગ પદાર્થો પણ છે. ધનાદિ બાહ્ય પદાર્થો વિના જેમ એક દિવસ પણ ચાલી શકતું નથી, તેમ વચનાદિ અત્યંતર પદાર્થો વિના એક ક્ષણ પણ ચાલી શકતું નથી. કવિઓએ ગાયું છે કે- “ક્ષીયન્ત પ્રભુ મૂષviાન સતત, વાભૂષvi ભૂષણમ્ I” બીજાં ભૂષણો ખરેખર ખૂટી જાય છે, જ્યારે વાણીરૂપી. ભૂષણ માણસને સતત્ શોભાવે છે. એક અંગ્રેજ કવિએ કહ્યું છે કે :“દુનિયામાં વધારેમાં વધારે ભલું કે વધારેમાં વધારે ભૂંડું કરવાનું સાધન જીહા છે.” દુનિયાનું ભલું કે ભૂરું કરવાનું સૌથી અધિક સામર્થ્ય વાણીમાં છે, એનો કોનાથી ઇન્કાર Page 143 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy