SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કાઢવો હોય અને એને સમજાવવું હોય, તો પૂછવું પડે કે-મોક્ષ ગમે છે તો તેનું કારણ શું છે ? સંસારનું સુખ નથી ગમતું માટે મોક્ષ ગમ્યો છે અને એથી ધર્મ કરો છો કે સંસારનું સુખ નથી મળ્યું માટે મોક્ષની વાત કરીને પણ સંસારનું સુખ મેળવવા ધર્મ કરો છો ? મોક્ષ ગમે છે, એનો અર્થ જ એ છે કે-સંસારનું સુખ ખરેખર ગમતું નથી. સંસારના સુખના રાગ ઉપર અને એ રાણે જન્માવેલા હેપ ઉપર ટૅપ પ્રગટવો જોઇએ? જીવ ધર્મની પ્રાપ્તિને યોગ્ય બને ત્યાં સુધી શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ ગણાય. ધર્મ પામવાની ઇચ્છા થઇ ત્યાં સુધીમાં તો એણે ઘણી ઘણી નિર્જરા સાધી હોય, પણ ધર્મ પામવાને માટે સૌથી પહેલાં ગ્રન્થિભેદ કરવો પડે. ગાઢ રાગ-દ્વેષની ગાંઠને ભેદવી પડે. અપૂર્વકરણ વિના એ ભેદાય નહિ. એ અપૂર્વકરણને પેદા કરવાને માટે, જીવે સંસારના સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા દ્વેષ ઉપર ખૂબ ખૂબ દ્વેષ કેળવવો પડે. સંસારના સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા દ્વેષ ઉપર કેવો દ્વેષ કેળવવો પડે? “અત્યાર સુધી આ જીવ સંસારના સુખના રાગ ઉપર અને સંસારના દુઃખના દ્વેષ ઉપર મુસ્તાક રહ્યો છે. એ રાગમાં અને એ દ્વેષમાં જ મારું કલ્યાણ, એમ આ જીવે માનેલું છે. પણ હવે મને સમજાય છે કે-એ રાગ અને એ દ્વેષ એ જ મારા ખરેખરા શત્રુ છે. એ રાગે ને એ દ્વેષ મને મારા સ્વરૂપનું ભાન પણ થવા દીધું નહિ. અનાદિકાળથી અત્યાર સુધીના અનન્તાનનું પુદ્ગલ પરાવર્ત કાળ સુધી મને એ રાગે ને એ દ્વેષે જ સંસારમાં ભટકાવ્યો. એ રાગથી અને એ દ્વેષથી હું છૂટું તો જ મારી મુક્તિ થાય. માટે હવે કોઇ પણ રોતિએ એ રાગ પણ નહિ જોઇએ અને એ દ્વેષ પણ નહિ જોઇએ. આ ભયંકર સંસારથી છૂટવાનો ઉપાય એ જ છે કે-એ રાગથી ને એ દ્વેષથી હું સર્વથા મુક્ત બનું.' આવો નિર્ણય જીવનો થાય, એ શું છે ? સંસારના સુખના રાગ ઉપરનો અને એ રાગે. જન્માવેલા દુ:ખના દ્વેષ પરનો ઠેષ છે. એ રાગ અને એ દ્વેષ ઉપરના આવા પ્રકારના દ્વેષના ચિન્તનાદિમાંથી આત્મામાં એ રાગ-દ્વેષને તોડી નાખવાનો જે અપૂર્વ પરિણામ પ્રગટે, તે અપૂર્વકરણ કહેવાય છે; અને, એ અપૂર્વકરણથી ગાઢ રાગ-દ્વેષની ગાંઠ ભેદાઇ ગયા વિના રહેતી નથી. તમને લાગે છે કે સંસારના સુખ ઉપરના રાગે અને એ રાગે જન્માવેલા દુઃખના દ્વેષે આત્માનું ઘણું ઘણું બગાડ્યું છે ? એ રાગ-દ્વેષ ભૂંડા લાગે એટલે અપૂર્વકરણ સહેલાઇથી પ્રગટી શકે. ૨. સચદવની પ્રાપ્તિનો દમ અનાદિર્મસત્તાનથી વેષ્ટિતપણુંઃ આ જગત્ અનાદિકાલીન છે. અનાદિકાલીન એવું આ જગતુ અનન્તકાલીન પણ છે. આ. જગત ક્યારેય અસ્તિત્વમાં નહોતું એવું પણ બન્યું નથી અને આ જગત્ ક્યારેય અસ્તિત્વમાં નહિ હોય-એવું બનવાનું પણ નથી. અનાદિ અને અનન્ત એવા આ જગમાં “જીવ” અને “જડ” એ બે પ્રકારના મુખ્ય પદાર્થો છે; એથી જગતના એકે એક પદાર્થનો કાં તો જીવમાં અને કાં તો જડમાં સમાવેશ થઇ જાય છે. જડ એવાં કર્મોના જીવની સાથેના યોગથી સંસાર છે અને જીવ જ્યારે જડના એ સંયોગથી સર્વથા મુક્ત બની જાય છે, ત્યારે એ જીવ સંસારથી મુક્ત બની ગયો, એમ કહેવાય Page 51 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy