SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર અને રંગ તે જ શ્રી કીર્તિયન્દ્ર નરનાથ અને સમરવિજય કુમાર ઃ હવે સાગર અને કુરંગના સમ્બન્ધમાં શ્રી પ્રબોધ નામના પ્રવરજ્ઞાની ગુરૂવર્ય ફરમાવે છે કે-આ પછીથી પૂર્વભવમાં કાંઇક પણ તેવા પ્રકારે અજ્ઞાન તપને કરીને, તે બન્ને પૈકી જે સાગરનો જીવ, તે તું આ દશાને પામ્યો છે અને કુરંગનો જીવ તે સમરવિજય છે. આ કથાની શરૂઆત કરતાં ગુરૂવર્યે મદન શેઠના સાગર અને કુરંગ એ બે પુત્રોની હકીકત જણાવી હતી. તે વખતે બન્ને ય ભાઇઓ લોભ તથા પરિગ્રહાભિલાષ એ બન્નેના મિત્ર બન્યા હતા અને કુરંગે તો ક્રુરતાની સાથે પણ સવિશેષ મૈત્રી સાધી હતી. આ ભવમાં સાગરનો જીવ, કે જે શ્રી કીર્તિચન્દ્ર રાજા તરીકે છે, તે લોભ અને પરિગ્રહાભિલાષ રૂપ પાપ-મિત્રોના સંસર્ગથી મુક્ત બનેલ છે. શ્રી કીર્તિચન્દ્ર નરનાથ તો એ બેયને દુશ્મન રૂપે પીછાની ચૂકેલ છે, પણ સમરવિજયની તો લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતા સાથેની મૈત્રી અખંડ છે, એમ આપણે પૂર્વના વૃતાન્ત ઉપરથી જાણી શકીએ છીએ. આપણે જોયું છે કે-શ્રી કોર્નિચન્દ્ર નરનાથ નિધાન અને રાજ્ય એ બન્ને ય સમરવિજયને સોંપી દઇને પોતે દીક્ષા ગ્રહણ કરવાને તત્પર બન્યા હતા : જ્યારે સમરવિજયે વારંવાર લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતાની આધીનતા જ બતાવી હતી. સાગર અને કુરંગના જીવની ઓળખાણ કરાવ્યા બાદ- ‘સમરવિજયનો આગળનો વૃત્તાન્ત તો તમને પણ પ્રત્યક્ષ છે’ -એમ જણાવીને, પ્રવરજ્ઞાની શ્રી પ્રબોધ ગુરૂવરે એ વાત જણાવી છે કે હજુ ય સમરવિજયનો કરેલો એક ઉપસર્ગ તારે સહવાનો છે, પણ તે ચારિત્ર ગ્રહણ કર્યા બાદ ! હે રાજન્ ! તું ચારિત્રને સ્વીકારશે, તે પછીથી તે સમરવિજય એક વાર તને ઉપસર્ગ કરશે. એ પછી ક્રૂરતાનો સંગી એવો તે સમરવિજય, અનેક ત્રસ અને સ્થાવર જીવોને અહિતકારી બનશે અને દુઃસહ દુઃખોથી પોતાના દેહનું દહન કરતો થકો તે અનન્ત સંસારમાં રઝળશે. શ્રી કીર્તિચન્દ્ર રાજાએ દીક્ષા લેવી : શ્રી પ્રબોધ નામના પ્રવરજ્ઞાની ગુરૂમહારાજાના શ્રીમુખેથી પોતાના અને સમરવિજયના પૂર્વભવોનો વૃતાન્ત સાંભળવાથી, શ્રી કીર્તિચન્દ્ર નરનાથનો વૈરાગ્ય ખૂબ જ વૃદ્ધિને પામ્યો. ગુરૂવર પધાર્યા પહેલાં પણ શ્રી કીર્તિચન્દ્ર નરનાથે પોતાના છેલ્લા દિવસો વિ૨સપણે જ નિર્ગમન કર્યા હતા, એ વાત આપણે જાણીએ છીએ. અને પરમ ગુરૂદેવના શ્રીમુખે પૂર્વભવોનો વૃત્તાન્ત સાંભળવાથી તેમનો વૈરાગ્ય ખૂબ જ વૃદ્રિંગત બન્યો. શ્રી કીર્તિચન્દ્ર નરનાથે તરત જ દીક્ષિત બનવાનો નિર્ણય કર્યો અને એ માટે રાજ્યનો કાર્યભાર તેમણે પોતાના ભાણેજ હરિકુમારને સુપ્રત કર્યો. હરિકુમાર રૂપ વૃષભ ઉપર રાજ્યરાને સંક્રમિત કરીને, ગુરૂ વૈરાગ્યથી પરિગત બનેલા શ્રી કીર્તિચન્દ્ર નરનાથે વ્રત ગ્રહણ કર્યું. દીક્ષા પછીની અનુમોદનીય ઉત્તમ આરાધના : વ્રત ગ્રહણ કર્યા બાદ આ રાજર્ષિએ જે આરાધના કરી છે,તે પણ ખૂબ જ અનુમોદવા લાયક છે. એ રાજર્ષિએ અતિ ઉગ્ર તપશ્ચર્યાના આસેવનથી પોતાના દેહને શોષિત કરી નાખ્યો, શુધ્ધ સિદ્ધાન્તને પણ સારી રીતિએ મોટા પ્રમાણમાં ભણ્યા અને ઉદ્યત ચિત્તવાળા બનેલા તેમણે અભ્યાત વિહારને પણ અંગીકાર કર્યો ! Page 181 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy