SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ વડિલ ભાઇની સેવામાં હાજર થવાનો વિચાર નહિ કરતાં, બહારવટું ખેડવાનો વિચાર કર્યો. પોતાના વડિલ બધુની સામે બહારવટું ખેડવાના નિશ્ચય ઉપર આવેલો તે શૂરવીર તો હતો જ, એટલે લુંટારો બન્યો થકો તે પોતાના વડિલ બન્યુના દેશમાં જ લુંટફાટ ચલાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ઉપકારી ઉપર પણ અપકાર કરવાને પ્રવૃત્ત થવું, એ આવા આત્માઓને માટે જરા ય અશક્ય નથી. પડાવું અને વગર શિક્ષાએ છૂટવુંઃ આવા લુંટારાને રાજાના સામન્તો પકડવાનો પ્રયત્ન કરે એ પણ સંભવિત છે. શ્રી કીર્તિચન્દ્ર નરનાથના સામંતોએ લુંટારૂ બનેલા તે સમરવિજયને કોઇ એક દિવસે પકડ્યો અને શ્રી કીર્તિચન્દ્ર રાજાની પાસે તેને હાજર કર્યો. આ વખતે પણ અક્રૂર સ્વભાવના સ્વામી એવા શ્રી કીર્તિચન્દ્ર રાજાએ એને શિક્ષા નહિ કરતાં મુક્ત કર્યો : રાજાએ સમરવજિયને મુક્ત ર્યો એટલું જ નહિ, પણ તેને રાજય ઉપર નિમંત્રિત પણ કર્યો. અર્થાત-શ્રી કીર્તિચન્દ્ર રાજાએ સમરવિજયને રાજ્યના સ્વામી બનવાનું નિમંત્રણ કર્યું, ઉદાર રાજાએ તો આ રીતિએ નિમંત્રણ કર્યું, પણ સ્વભાવે ક્રૂર એવા સમરની તો કોઈ દશા જ જૂદી હતી. રાજાએ તેને રાજ્ય ઉપર નિમંત્રિત કરવા છતાં પણ સમરવિજયે તો એ જ વિચાર્યું કે- “આ રાજય મારે ગ્રહણ કરવું છે એ ચોક્કસ, પણ તે આ રીતિએ નહિ. મારે તો રાજયનું સ્વામિપણું બલાત્કારથી લેવું છે, પણ આણે આપેલું લેવું નથી.” આ પ્રમાણે વિચારીને તે સમરવિજય ત્યાંથી પુનઃ પણ અન્યત્ર ચાલ્યો ગયો. કેટલી હદ સુધીની આ અધમતા અને તુમાખી છે ? પણ ક્રરતાના સ્વામિઓને માટે આવું કશું જ અસંભવિત નથી. વારંવાર એની એ દશાઃ હવે બલાત્કારથી રાજયને પડાવી લેવાને ઇચ્છતો સમર લુંટારૂ બનીને કોઇ વખત ખૂદ રાજાના દેહ ઉપર ધસી જતો એટલે કે રાજાને મારી નાખવાનો પ્રયત્ન કરતો, કોઈ વખત રાજાના ભંડાર ઉપર તેને લુંટી જવાને માટે આવી પહોંચતો અને કોઈ વખત દેશ ઉપર દેશને લુંટી લેવાના હેતુથી આવતોપણ એ બીચારો ફાવતો નહિ અને પકડાઈ જતો. આમ છતાં પણ પૂર્વનું એવું કોઇ પાપાનુબંધી પુણ્ય લઇને એ આવેલો, કે જેથી તેના વડિલ બન્યુ રાજા તેને અતિ અદ્ભર સ્વભાવના અને એ જ કારણે ખૂબ જ ઉદારતા આદિ ગુણોના સ્વામી મલ્યા હતા. આથી જ્યારે જ્યારે ભયંકર ગૂન્હો કરતાં તે પકડાતો અને રાજા પાસે હાજર કરાતો, ત્યારે ત્યારે રાજા તેને છોડી દેતા : એટલું જ નહિ, પણ રાજા તેને રાજય દ્વારા અભ્યર્થના કરતા : એટલે કે-રાજય લેવાની પ્રાર્થના કરતા. એ અભ્યર્થના પણ સામાન્ય રૂપની નહિ, પણ ખૂબ આગ્રહપૂર્વકની કરતા હતા. રાજા વારંવાર આટઆટલી ઉદારતા દર્શાવતા, છતાં પણ તે સમરવિજય રાજ્યને લેતો પણ ન હતો અને પોતાની દુષ્ટ પ્રવૃત્તિને છોડતો પણ ન હતો. લોક્વાદનું રહસ્યઃ તે કારણથી લોકવાદ એવો થયો કે ઉદરથી જન્મેલા સાદરો એટલે ભાઇઓમાં વિશેષતા કેટલો છે? એકમાં જ્યારે દુર્જનપણું અસદશ છે, ત્યારે એકમાં સુજનપણું અસદશ છે !” Page 168 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy