SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ વધારે આનંદ આત્મા આ સમ્યક્ત્વ મેળવતાં અનુભવે છે, એમ કહેવામાં જરાએ અતિશયોક્તિ નથી. કેમકે-અનાદિકાળથી પ્રતિ સમય તીવ્ર દુઃખ દેવામાં અગ્રેસર અને કટ્ટા શત્રુરૂપ મિથ્યાત્વના ઉપર વિજય મેળવતાં કયો પ્રાણી ખૂશી ખૂશી ન થઇ જાય ? જન્મથી જ જે અંધ હોય તેને એકાએક નેત્રની પ્રાપ્તિ થાય અને આ સમગ્ર વિશ્વ અવલોકવાની તેને તક મળે ત્યારે તે આનંદિત થઇ જાય, તો પછી અનાદિકાળથી મિથ્યાત્વરૂપ અંધતાથી દુઃખી થતા જીવને સમ્યગ્દર્શનરૂપ નેત્રો મળે, ત્યારે તેના હર્ષમાં કંઇ કચાશ રહે ખરી ? અંતરણમાં વર્તવા જીવની પ્રવૃત્તિ ઃ અંતરકરણમાં પ્રવેશ થતાં જ જીવ પ્રથમ તો સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ અંતર્મુહૂર્ત સુધી તે ત્યાં રહીને શું કાર્ય કરે છે તે હવે જોઇએ. આ સમય દરમ્યાન જીવ પેલાં અત્યાર સુધી દાબી રાખેલા-ઉપશમાવેલા અતિ દીર્ઘ સ્થિતિવાળાં મિથ્યાત્વમોહનીય કર્મદ્રવ્યોને સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન કરે છે. આવો પ્રયત્ન કરવાથી ઉપર્યુક્ત કર્મદ્રવ્યોમાંથી જે કર્મદ્રવ્યો સર્વથા શુદ્ધ બની જાય, તેને ‘સમ્યક્ત્વમોહનીય' એવું નામ આપવામાં આવે છે, જે અર્ધશુદ્ધ બને છે તેને ‘મિશ્ર મોહનીય' તરીકે ઓળખાવવામાં આવે છે અને જે અશુદ્ધ ને અશુદ્ધ જ રહી જાય છે તેને ‘મિથ્યાત્વમોહનીય' કહેવામાં આવે છે. જેમ અતિ મલિન કાચ બહારથી આવતા પ્રકાશને રોકી રાખે છે, કિન્તુ તેજ કાચનો મેલ દૂર કરી તેને સ્વચ્છ બનાવવામાં આવે, તો પછી આ પ્રકાશનો પ્રતિબંધક રહેતો નથી, તેવીજ રીતે મિથ્યાત્વમોહનીયરૂપ કાચનો મિથ્યાત્વરૂપ મેલ દૂર કરી તેને શુદ્ધ બનાવવામાં આવે, ત્યારે તે સમ્યક્ત્વરૂપ પ્રકાશને અંદર આવતાં નજ અટકાવે એ દેખીતો વાત છે. મિથ્યાત્વ મોહનીયના ત્રણ વિભાગો : ઉપર જોયું તેમ ઔપશમિક સમ્યક્ત્વમાં વર્તતો આત્મા મિથ્યાત્વમોહનીય કર્મના શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ-એમ ત્રણ વિભાગો કરે છે. આ સંબંધમાં જૈનશાસ્ત્રોમાં જે વસ્ત્ર, જળ અને મદનકોદ્રવાનાં-એમ ત્રણ દ્રષ્ટાંતો આપવામાં આવે છે. જેમ કોઇ મલિન વસ્ત્રને ધોવામાં આવે તો તે નિર્મળ-સ્વચ્છ બની જાય, કોઇક એવું વસ્ત્ર ધોવાતાં તે અર્ધશુદ્ધ બને અને કોઇક વસ્ત્ર એવું પણ હોય કે ધોયા છતાં પણ તે મલિન જ રહે, તેમ પ્રસ્તુતમાં સમજી લેવું. એવીજ રીતે કેટલુંક મલિન જળ સ્વચ્છ થાય, કેટલુંક નિર્મળ તથા મલિન અર્થાત્ મિશ્ર રહે અને કેટલુંક મલિનજ રહે, એ બીજું દ્રષ્ટાન્ત છે. મદનકોદ્રવાને ધોવાથી તેમાંના કેટલાક સંપૂર્ણ મયણા રહિત થાય, કેટલાક થોડે-ઘણે અંશે મયણા સહિત રહે અને કેટલાક તો સર્વથા મયમા સહિત જ રહે, એ ત્રીજું દ્રષ્ટાન્ત છે. ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ પછીનો જીવનો પરિણામ : ઔપશમિક સમ્યક્ત્વનો અંતર્મુહૂર્તનો કાળ વિત્યા બાદ ઉપર્યુક્ત આ શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ-એ ત્રણ વિભાગોમાંથી જે દ્રવ્યનો ઉદય થાય, તે પ્રકારની જીવની સ્થિતિ થાય છે અર્થાત્ જો શુદ્વ દ્રવ્યનો ઉદય થાય તો આત્મા ‘ક્ષાયોપશમિક સમ્યક્ત્વ' પ્રાપ્ત કરે છે, જો મિશ્રદ્રવ્યનો ઉદય Page 141 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy