SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્તની આ ટેવમાંથી મુકત થવામાં આ અભ્યાસ ઘણો સહાયક બને છે. નિર્વિચારમાં કૂદકો : ચિત્તને શાંત કરવાનો અન્ય એક ઉપાય છે પ્રત્યેક ઊગતા વિચારને ત્યાં ને ત્યાં જ ડામી દેવાનો. જાણ્યે-અજાણ્યે વિચાર સાથે ભળી જઈ આપણે તેને સાતત્ય આપીએ છીએ ત્યારે જ વિચાર આગળ વધે છે. સાવધાન રહી જો આપણે તેની સાથે ભળીએ નહીં તો મનની પાંખો કપાઈ જાય છે. પરંતુ વિચાર દ્વારા કંઈક પ્રાપ્ત થશે એ આશામાં ને આશામાં માણસ તેને સાતત્ય આપતો રહે છે. જો તે આ ભ્રામક આશા ત્યજી દેવાનું સાહસ દાખવી શકે તો મનોજયની દિશામાં તે શીઘ્ર ગતિ એ આગળ વધી શકે. જાગૃત રહી પ્રત્યેક વિચારને ઊગતો જ ડામી દેવાના આ અભ્યાસને ચાર-છ મહિના નિષ્ઠાપૂર્વક વળગી રહેનાર સાધક અનુભવે છે કે એથી પોતાના ચિત્તની ઘણી અશુદ્ધિ દૂર થઈ જવાથી તેની અર્થહીન ઊડાઊડ અટકે છે; તે નિર્મળ, શાંત અને સ્થિર થતું જાય છે. કેટલાક સાધકોને એકાગ્રતા કેળવવી કઠિન જણાય છે. પરંતુ, ઉપર્યુકત અભ્યાસમાં કરવામાં આવે છે તેમ, ઊગતા વિચારને ડામી દીધા પછી કે ચાલતા વિચારને અધવચ્ચે જ કાપી નાખીને પ્રાપ્ત થતી નિર્વિચાર સ્થિતિને શાંત ભાવે માત્ર જોયા કરવાનો અભ્યાસ વધુ માફક આવે છે. તેઓ આ અભ્યાસ દ્વારા સીધા જ નિર્વિચાર સ્થિતિમાં જઈ શકે. પૂર્વનો વિચાર શમી ગયો હોય અને બીજો વિચાર ઊઠયો ન હોય એ સ્થિતિને પકડી લઈ તેમાં સ્થિર થવાથી નિર્વિકલ્પ ચૈતન્યનો અવબોધ સરળતાથી થઈ શકે છે, એવી શાખ આદ્ય શંકરાચાર્ય, શ્રી રમણ મહર્ષિ વગેરે જ્ઞાનમાર્ગના અનેક યાત્રીઓ પૂરે છે. ૨૯
SR No.009167
Book TitleChitta Sthairya ni Kedio
Original Sutra AuthorN/A
AuthorAmrendravijay
PublisherPrerna Prakashan Trust
Publication Year
Total Pages29
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy