SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા મંત્રચિંતામણિ મુખ્ય વાત એ છે કે તે દિવસ-રાત્રિ દરમિયાન થોડો સમય પણું અવશ્ય કરવું જોઈએ. શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યેય પંચપરમેષ્ઠી છે. તેમનું ધ્યાન ઉપરના ચિત્રમાં દર્શાવેલી અવસ્થા પ્રમાણે કરવું જોઈએ, પરંતુ તે વખતે વર્ણ નીચે પ્રમાણે ચિતવે જોઈએ ? ક્રમ પરમેષ્ઠી વર્ણ (રંગ) પહેલા અરિહંત વેત (ધોળ) સિદ્ધ રક્ત (લાલ) ત્રીજા આચાર્ય પીત (પી) ચોથા ઉપાધ્યાય નીલ (વાદળી) પાંચમા સાધુ શ્યામ (કાળ) આ વખતે તેમના ગુણોનું પણ યથાશક્ય ચિતન કરવું જોઈએ કે જેની સંખ્યા ૧૨ + ૮+૩૬ ૨૫ + ૨૭ મળી બરાબર ૧૦૮ થાય છે. આ વિસ્તાર અમેએ રચેલા નમસ્કાર મંત્રસિદ્ધિ ગ્રંથથી જાણ. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે જે પંચપરમેષ્ટીના ૧૦૮ ગુણનું ચિંતન ન થઈ શકે તે પ્રથમ અરિહંત દેવના ૧૨ ગુણનું ધ્યાન તે અવશ્ય ધરવું. નમસ્કાર મંત્રનું એક લાખનું અનુષ્ઠાન વીસ દિવસમાં પૂરું થાય છે, તે મહામંગલકારી છે અને મનુષ્યની સર્વતસુખી ઉન્નતિ કરે છે. બીજું અનુષ્ઠાન નવ લાખનું છે, તે પાપીમાં પાપી આત્માને પણ ઉદ્ધાર કરે છે અને તેને
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy