SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મમાં હુંકાર-ઉપાસના ઉપરનું વિધાન આ સિદ્ધાંત અનુસાર જ કરવામાં આવ્યું છે. રંગને પ્રભાવ મનુષ્યના શરીર અને મન ઉપર ખૂબ જ પડે છે, એ વાતમાં હવે કોઈને કશી શંકા રહી નથી, કારણ કે તેનાં સેંકડો પ્રયોગ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે અને તેના આધારે તેને મટાડવાની ખાસ પદ્ધતિ (રંગચિકિત્સા પદ્ધતિ અમલમાં આવેલી છે. અહીં એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે નહી કારને પંચવણને માની તેની ઉપાસના કરવાની એક વિશિષ્ટ પદ્ધતિ પણ જૈન ધર્મમાં સારો પ્રચાર પામેલી છે. તે અંગે થી ત્રાષિમંડલ રતવર્યોત્રાલેખન માં કહ્યું છે કે सशिरोरेफ ह: पीतः कला रकासितं वियत् । નાતા હુ, નીરો વર્તાનુશાસિનોર શિરેખા અને રેસરિત ને વર્ણ પીત એટલે પીળે ચિંતવ, ચંદ્રકળાને વર્ણ રક્ત એટલે રાતે ચિંતવે, બિંદુને વર્ણ આસીત એટલે કાળે ચિંતવ, નાદને વર્ણ ત એટલે પેળે ચિંતવ અને શું ને વર્ણ નીલ એટલે વાદળી ચિંત. આ વર્ણ અનુસાર તેમાં (પંચપરમેષ્ઠી તથા) જિનભગવંતની ભાવના કરવી.” ૧૩-હી કારમાં પંચપરમેથીની ભાવના : પંચપરમેષ્ટી એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ સ્પષ્ટતા પૂર્વે કરવામાં આવી છે. તેમનું ધ્યાન ધરવા માટે નીચેના વર્ણો–રંગે નિયત થયેલા છે?
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy