SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ મનાષ્ટક - ૨ જ્ઞાનસાર હોય તો જ સુખપૂર્વક (માનસિક આનંદપૂર્વક) રહેવાય છે. અન્યથા ઉદ્વેગપૂર્વક રહેવાય છે. આ રીતે પ્રશસ્તલેશ્યા (તેજોલેશ્યા) એ સુખાસિકાનો હેતુ છે. પ્રશસ્તલેશ્યા એ કારણ છે અને સુખાસિકા એ કાર્ય છે. કારણમાં જ કાર્યનો ઉપચાર કરવાથી તેજલેશ્યા શબ્દથી સુખાસિકાની વિવક્ષા કરાઈ છે. વિર્યુવન" (વિતીવત્તિ) ક્રિયાપદ છે. તેનો અર્થ પસાર થાય છે. ચાલ્યાં જાય છે. અતીતકાલ બને છે. આવો અર્થ સમજવો. “મસુરિંmયાતિ” આ પદનો અર્થ અસુરનિકાય નામના ભવનપતિદેવોના દક્ષિણ-ઉત્તર દિશાના અધિપતિ જે ચમરેન્દ્ર અને બલી નામના ઈન્દ્રો છે. તે બન્નેને વર્જીને બાકીના ૯ નિકાયના જે ૧૮ ઈન્દ્રો છે. તેના સુખને આ મુનિઓ ઓળંગી જાય છે. એવો અર્થ કરવો. તેT પર'' ભગવતી સૂત્રના આલાવામાં છેલ્લી બે લીટીમાં જે તે પર શબ્દ આવે છે તેનો અર્થ તત્ત: પરમ્ = તેનાથી આગળ એવો અર્થ કરવો. ત્યાં પણ તd: શબ્દનો અર્થ એક વર્ષથી આગળ, અર્થાત્ એક વર્ષથી વધારે કાલ ચારિત્ર પાળનારા મુનિ શુક્લ થાય છે. તથા શુક્લાભિજાત્ય બને છે. યાવત્ સિદ્ધગતિને પામે છે. સર્વકર્મોનો અંત કરે છે. મુતિ” શુક્લ શબ્દ જે આપ્યો છે. તેનો અર્થ વિશુદ્ધ-નિર્મળ ચારિત્રગુણની સાથે અભેદભાવવાળો, આત્માની અને ઉત્તમ ચારિત્રગુણની એકાકારતાવાળો, ઈર્ષ્યા-અદેખાઈ વગેરે મત્સરભાવ વિનાનો, પૂર્વપુરુષોએ કરેલા ઉપકારોને બરાબર જાણવાવાળો, ઉત્તમઉત્તમ કાર્યોનો જ આરંભ કરવાવાળો, હિતનો એટલે કે કલ્યાણનો જ અનુબંધ કરવાવાળો, ભવોભવમાં કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય તેવા આચારવાળો જે આત્મા તે શુક્લ કહેવાય છે. કોઈ કોઈ આચાર્યો “નિરતિચાર ચારિત્રવાળો જે આત્મા” તેને પણ શુક્લ કહે છે. “સુalfમનતિત્તિ” શુક્સમાં પણ અભિજાત્ય = વિશિષ્ટ, અર્થાત્ વિશિષ્ટ શુક્લ, વધુ શુક્લ, એટલે પરમ શુક્લ આવો અર્થ કરવો. પૂજ્ય હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ ષોડશકપ્રકરણ નામના ગ્રંથમાં બારમા ષોડશકના તેરમા શ્લોકમાં કહ્યું છે કે – “પ્રધાનપણે અકિંચનપણું, અત્યન્ત શ્રેષ્ઠ જ્ઞાનરમણતા, ઉત્તમોત્તમ શાસ્ત્રોની લીનતા દ્વારા અત્યન્ત વિશુદ્ધતા, આ સર્વ શુક્લ કહેવાય છે. એક વર્ષના ચારિત્રપર્યાયના પાલન પછી આવા ગુણો આવિર્ભત થાય છે. (૧) અકિંચનપણું - કોઈ વસ્તુનો સંગ્રહ નહીં, પરિગ્રહ નહીં અને શરીરના કારણે અનિવાર્યતાને લીધે જે વસ્તુ રાખવી જ પડે તેની મમતા-મૂછ-આસક્તિ નહીં.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy