SearchBrowseAboutContactDonate
Page Preview
Page 847
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧ ૮૧૧ અનાદિ કાળથી લાગેલી પરભાવના (પૌદ્ગલિક પદાર્થોની સાથેના તથા અન્ય જીવોની સાથેના) ભોગસુખોની જે સ્પૃહા, તે સ્પૃહા વડે કયા જીવ દ્વારા શું શું કષ્ટકારી અનુષ્ઠાનો નથી કરાયાં? અર્થાત્ મોહસંજ્ઞાપૂર્વક તો આ જીવ વડે ભવોભવમાં ઘણાં ઘણાં કષ્ટકારી અનુષ્ઠાનો કરાયાં છે. પરંતુ તે સર્વેમાં મોહબુદ્ધિ હોવાથી તે અનુષ્ઠાનને શુદ્ધ તપ કહેવાતું નથી. પરંતુ આ આત્માનું જે શુદ્ધ-નિર્મળ ક્ષાવિકભાવનું અખંડ અનંત સ્વરૂપ છે તે સ્વરૂપને આવરણ વિનાનું કરવા માટે એટલે કે જે સત્તાગત સ્વરૂપ છે તેને આવિર્ભત કરવા માટે પરપદાર્થોના સંગ વિનાનું, રાગ-દ્વેષ અને કષાયોની પરિણતિ વિનાનું, આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક નિર્મળ તત્ત્વની સાથે એકતા કરવારૂપ જે તપ કરાય તે તપ શ્રેષ્ઠ તપ સમજવો. અહીં તપ એટલે કે આત્મતત્ત્વના બાધક એવા પરભાવરૂપ આહારાદિના ગ્રહણનું જે નિવારણ કરવું તે તપ સમજવો. આત્માનું સ્વરૂપ અણાહારી છે. તેમાં બાધક આહારગ્રહણ છે. વળી તે આહારગ્રહણ એ પુગલ ગ્રહણ છે તેથી પરભાવરૂપ છે માટે તેનો આત્મવિશુદ્ધિ માટે જે ત્યાગ કરાય તેને તપ કહેવાય છે. આવો શ્રેષ્ઠ તપ કરવા લાયક છે. શાસ્ત્રમાં કહ્યું છે કે - “ગાડરીયા પ્રવાહથી કરાયેલા તપથી, સૂત્રમાં કહેલી વિધિથી નિરપેક્ષપણે કરાયેલા તપથી, લોકસંજ્ઞાથી કરાયેલા તપથી અને ઓઘસંજ્ઞા-ભયસંજ્ઞાદિ દ્વારા કરાયેલા તપથી જે ભિન્ન તપ છે તે જ નિરનુષ્ઠાન તપ જાણવો. આવા પ્રકારનો જે તપ કે જે તપ ગાડરીયા પ્રવાહરૂપ નથી, વિધિનિરપેક્ષ નથી લોકસંજ્ઞા-ઓઘસંજ્ઞા અને ભયસંજ્ઞાથી કરાયેલ નથી. આવો જે તપ અભિમાન અને અજ્ઞાનદશા રહિતપણે કરાય, શુદ્ધતત્ત્વની પ્રાપ્તિનું લક્ષ્ય કરીને તેનાથી યુક્તપણે જે તપ કરાય અને તે પણ અધ્યાત્મની ભાવનાપૂર્વક જે તપ કરાય, તે જ તપ કર્મોના ક્ષયનું કારણ બને છે. માટે આત્માર્થી જીવે આવો શ્રેષ્ઠ ઉત્તમ તપ કરવો જોઈએ. all तदेव हि तपः कार्य, दुर्थ्यानं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि वा ॥७॥ ગાથાર્થ :- જે તપ આચરવામાં દુર્થાન ન થાય, જે તપ કરવાથી મન-વચન અને કાયાના યોગો ઢીલા ન પડે અને જે તપથી ઈન્દ્રિયોની શક્તિ ક્ષય ન પામે તેવો અને તેટલો જ તપ કરવો જોઈએ. III ટીકા :- “તવ દીતિ' રીતિ નિશ્ચિતમ્, તવ તા: વાઈ-વેરીયમ, યત્ર
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy