SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ધ્યાનાષ્ટક - ૩૦ ૭૮૫ ગાથાર્થ :- જેમ મણિમાં બિંબનો પડછાયો પડે છે તેમ ક્ષીણ થઈ છે વૃત્તિઓ જેની એવા નિર્મળ અંતરાત્મામાં ધ્યાન દ્વારા પરમાત્માનું પ્રતિબિંબ પડે છે તેને જ સમાપત્તિ કહેવાય છે. [૩ ટીકા :- “ વિસ્વ' તિ, યથા મu-રત્ન, વિસ્વસ્થ પ્રતિષ્ઠા , તથા अन्तरात्मनि-स्वात्मस्वरूपे परात्मनः-निर्मलात्मनः ध्यानात् समापत्तिः-सिद्धात्मत्वस्वात्मत्वैकतारूपा भवेत् । कथम्भूते अन्तरात्मनि ? निर्मले-कषायविकल्पमलरहिते । पुनः कथम्भूते ? क्षीणवृत्तौ-क्षीणा वृत्तिः पराजीविका यस्य स क्षीणवृत्तिः । तस्मिन् एव समापत्तौ ध्यानसिद्धिः भवति इत्थं पूर्वोक्तप्रकारेण । अन्यत्रोक्तम् मणेरिवाभिजातस्य, क्षीणवृत्तेरसंशयम् । तात्स्थ्यात्तदञ्जनत्वाच्च समापत्तिः प्रकीर्तिता ॥ (ત્રિશાન્નિશિવ-૨૦-૨૦) વિવેચન :- નિર્મળ મણિમાં અથવા નિર્મળ રત્નમાં અથવા નિર્મળ સ્ફટિકમાં જેમ બિંબની પ્રતિચ્છાયા (પ્રતિમાનું પ્રતિબિંબ) પડે છે. તેમ ધ્યાનદશાથી અંતરાત્મામાં પરમાત્માનું જે પ્રતિબિંબ પડે છે તેને સમાપત્તિ કહેવાય છે. અંતરાત્મામાં એટલે શુદ્ધ એવા પોતાના આત્માના સ્વરૂપમાં, પરમાત્માનું પ્રતિબિંબ એટલે નિર્મલ-શુદ્ધ આત્માનું પ્રતિબિંબ પડે છે તેને જ સમાપત્તિ કહેવાય છે. સિદ્ધ પરમાત્માનો શુદ્ધ એવો આત્મા અને પોતાનો સત્તાગત રીતે શુદ્ધ એવો આત્મા આ બન્નેની જે એકતા-તન્મયતા-લયલીનતા તેનું નામ સમાપત્તિ. જેમ નિર્મળ સ્ફટિકમાં પ્રતિમાનું પ્રતિબિંબ પડે છે તેમ પોતાના આત્મામાં પરમાત્માના શુદ્ધ આત્માનું પ્રતિબિંબ, તેને સમાપત્તિ કહેવાય છે. પ્રતિમાનું પ્રતિબિંબ સ્ફટિકમાં પડે છે પણ ક્યારે પડે છે ? સ્ફટિક અત્યન્ત નિર્મળચોખ્ખો હોય તો, તેમ અહીં પણ અંતરાત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ ક્યારે પડે છે? જ્યારે અંતરાત્મા નિર્મળ હોય ચોખ્ખો હોય ત્યારે જ પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. નિર્મળ એટલે ક્રોધ-માન માયા અને લોભ એમ ચાર પ્રકારના કષાયો તથા મોહદશાના અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પો, તે કષાયો અને વિકલ્પો રૂપી મેલથી રહિત જે આત્મા તે નિર્મળ આત્મા તેવા પ્રકારનો અંતરાત્મા જ્યારે બને છે ત્યારે જ આ પ્રતિબિંબ પડે છે. વળી આ અંતરાત્મા કેવો થાય ત્યારે પ્રતિબિંબ પડે છે? તો જણાવે છે કે ક્ષીવૃત્તિ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy