SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮ ૭૪૯ આ બાબતમાં કોઈક વેદાન્તવાદી પ્રશ્ન કરે છે કે “કર્મયજ્ઞ” કરવાનું વેદમાં કહેલું છે અને શાસ્ત્રમાં જે કરવાનું કહ્યું હોય તે શાસ્ત્રકારોએ જાણીને જ્ઞાનપૂર્વક જ કહ્યું હોય એટલે કે સમજીને જ કહ્યું હોય, માટે હિંસા હોવા છતાં શાસ્ત્રોક્ત હોવાથી મનની શુદ્ધિપૂર્વક જો કરાય તો તેમાં કંઈ દોષ નથી. વેદમાં આવો યજ્ઞ કરવાનું કહેલું છે. માટે મનની શુદ્ધિપૂર્વક જો કરાય તો તે કર્મયજ્ઞ જ બ્રહ્મયજ્ઞ કહેવાય, માટે આ બ્રહ્મયજ્ઞ જ છે એમ માનીને કર્મયજ્ઞ કરવો જોઈએ તે વેદવચન આ પ્રમાણે છે. “વવાનુવરને બ્રાહUT વિવિવિપત્તિ પર दानेन तपसा" આ મતનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે “વેદ વચન હોવાથી મનની શુદ્ધિ દ્વારા આ કર્મયજ્ઞ એ બ્રહ્મયજ્ઞ જ છે” આ વાત ખોટી છે. સાચી નથી. જો વેદોક્ત હોવાથી કર્તવ્ય બનતો હોય તો શ્યનયાગ કેમ કરતા નથી ? શ્યનયાગનો ત્યાગ શા માટે કરો છો? શત્રુઘાત માટે બાજ દ્વારા કરાતો યજ્ઞ તે શ્યનયજ્ઞ કહેવાય છે. આ યજ્ઞ તેમના શાસ્ત્રમાં વિહિત છે તો પણ તે યજ્ઞ કરાતો નથી. કારણ કે તેમના જ શાસ્ત્રમાં કહેલ છે કે આ યજ્ઞમાં બીજાના વધનું પ્રયોજન છે માટે આ યજ્ઞ પ્રત્યપાયજનક છે તેથી સ્વર્ગાદિની પ્રાપ્તિ માટે અન્ય યજ્ઞ કરાય છે, પરંતુ શ્યનયાગ શાસ્ત્રવિહિત હોવા છતાં તેઓ કરતા નથી. તેઓ પોતે જ તે યજ્ઞનું અશુભ ફળ-કુપરિણામ માને છે. તે માટે તેમને અર્ધજરતીયના ન્યાયનો ઘાટ લાગે છે. સારાંશ કે વેદોક્ત હોવાથી ગરીબડાં અને લાચાર પશુઓનો હોમ કરવો આ મિથ્યા બુદ્ધિ છે. પોતાની મતિ પ્રમાણેની કલ્પના માત્ર છે. મૂઢ મનુષ્યો માંસાહારમાં અંજાયા છતા શાસ્ત્રોના અર્થોને મરડીને મતિકલ્પિત અર્થો કરે છે. તે અટકાવવા યોગ્ય છે. સંસારનાં સુખોની ઈચ્છા કરવી અને તે ઈચ્છાથી ગરીબ અને નિઃસહાય પશુઓની હિંસા કરવી એ સુખ કરનારી નથી. પાપના બંધ દ્વારા નરક-નિગોદનાં દુઃખો જ આપનારી છે. - સાધ્યની જો શુદ્ધિ ન હોય તો કરાયેલો પુરુષાર્થ હિત કરનાર થતો નથી. જો હિંસા એ ધર્મ હોત તો નરકમાં કોણ જાત ? માટે ઉપરની વેદવાદીની કલ્પના અનર્થમૂલક છે. પંચેન્દ્રિય જીવોની હિંસા અને સંસારસુખની કામના આ બને હેતુઓ ખોટા છે. માટે ઉત્તમ પુરુષોએ તેનો ત્યાગ જ કરવો. આવા પ્રકારનું ખોટું આચરણ આચરવા જેવું નથી. આવા ब्रह्मयज्ञः परं कर्म, गृहस्थस्याधिकारिणः । पूजादि वीतरागस्य, ज्ञानमेव तु योगिनः ॥४॥
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy