SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૦ અનુભવાષ્ટક - ૨૬ જ્ઞાનસાર વિવેચન :- અક્ષરાત્મક શ્રુતજ્ઞાન ત્રણ જાતનું હોય છે - સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર. કાગળ-વસ્ત્ર અથવા દિવાલ વગેરે ઉપર લખેલા જે અક્ષરો કે જેને લિપિ કહેવામાં આવે છે તે સંજ્ઞાક્ષર કહેવાય છે. તથા મુખે બોલાતા-ઉચ્ચારણ કરાતા જે અક્ષરો તે વ્યંજનાક્ષર કહેવાય છે અને હૃદયમાં સમજાયેલી જે ભાષા તે લધ્યક્ષર કહેવાય છે. જે સંજ્ઞાક્ષર છે તે લિપિમયી વાણી કહેવાય છે. જે બોલવા રૂપ વ્યંજનાક્ષર છે તે વાડમયી વાણી કહેવાય છે. અને મનમાં સમજણ રૂપ જે જ્ઞાન છે તે મનોમયી વાણી કહેવાય છે. નિર્લેન્દ્ર એટલે જેમાં બીજું તત્ત્વ નથી અર્થાત્ શુદ્ધ એવું ચેતન્યતત્ત્વ કે જેમાં પરભાવદશા-વિભાવદશા-ફ્લેશ-કષાય-વિકાર-વાસના આદિ અન્ય તત્ત્વ નથી એવું જે નિર્મળ આત્મતત્ત્વ છે તે નિર્લેન્દ્ર બ્રહ્મ કહેવાય છે. નિર્બન્દાનુભવ એટલે કે જેમાં ઈન્દ્રિય આદિ બાહ્ય લિંગો નથી, અર્થાત્ પરોક્ષ નહીં, પણ પ્રત્યક્ષ સાક્ષાત્ આત્માનો પોતાનો જે અનુભવ છે તે નિર્કન્દાનુભવ જાણવો. શુદ્ધ, નિર્મળ નિર્લેન્દ્ર એવું આત્મતત્ત્વ પ્રત્યક્ષ એવા નિન્દાનુભવ વિના બાહ્ય સાધન સ્વરૂપ લિપિમયી (સંજ્ઞાક્ષર રૂ૫) વાણી વડે, વાડમયી (વ્યંજનાક્ષર રૂ૫) વાણી વડે કે મનોમયી (લધ્યક્ષર રૂ૫) વાણી વડે કેમ દેખી શકાય? કેમ સમજી શકાય? બાહ્ય દૃષ્ટિની જે પ્રવૃત્તિ છે તે કર્મની ઉપાધિરૂપ છે. તેનાથી પરમ બ્રહ્મ એવા આત્મસ્વરૂપનું ગ્રહણ કરી શકાતું નથી. આત્મદશાના અનુભવી જીવો જ શુદ્ધ આત્મસ્વરૂપને પિછાણી શકે છે. બાહ્ય દેષ્ટિવાળા જીવો રૂપી વસ્તુને જ જોઈ શકે છે અને અદૃષ્ટિ જેની ખીલી હોય છે તેવા જ્ઞાની મહાત્માઓ જ આત્મતત્વનો અનુભવ કરી શકે છે. All न सुषुप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ । कल्पनाशिल्पविश्रान्तेस्तुर्यैवानुभवे दशा ॥७॥ ગાથાર્થ :- અનુભવદશા એ મોહ વિનાની હોવાથી સુષુપ્તિદશા નથી. તથા અનુભવદશામાં કલ્પના રૂપી શિલ્પીઓનો અભાવ હોવાથી સ્વપ્નદશા પણ નથી અને જાગૃતદશા પણ નથી. તેથી અનુભવદશા એ ચોથી જ (ઉજઝાગર દશા) છે. ll ટીકા :- “ર સુષુપ્તિિિત” તથા નવક્રે-રા: વતસ્ત્ર, તત્ર વહુનરૂપી मिथ्यात्वस्थानां, शयनावस्था सम्यग्दृशां, जागरा प्रमत्ताप्रमत्तमुनीनाम् । तुर्या च उत्तरा ध्यानस्थानाम्, उत्तरोत्तरा सयोगिकेवलिनाम् । पुनः श्रीविंशतिकायाम्-सुषुप्तिः तीव्रनिद्राघूर्णितचेतसां सा अनुभवज्ञानिनो न, कस्मात् ? अमोहत्वात् । अनुभवी-मोहरहितः, सुषुप्तिस्थः मोहमयः, तेनानुभवज्ञानवतः सुषुप्तिर्न । तत्त्वानुभविनः स्वापदशा तथा जागरापि न, एतद्दशाद्वयं कल्पनोपेतम्, अनुभवः
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy